ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચના સીરો સર્વેમાં મધ્યપ્રદેશના 79 ટકા લોકોએ કોરોના સામેની એન્ટીબોડી મેળવી લીધી હોવાનો ખુલાસો કર્યો છે.
ICMR નો સીરો સર્વે બહાર પડાયો
મધ્યપ્રદેશના 79 ટકા લોકોએ કોરોના સામેની એન્ટીબોડી મેળવી
રાજસ્થાન બીજા નંબરે, 76.2 ટકા લોકોએ એન્ટીબોડી મેળવી
ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્સે ગત મહિને સીરો સર્વે કર્યો હતો તેના પરિણામે ગઈકાલે બહાર પાડ્યાં હતા. સીરો સર્વે અનુસાર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં એવા લોકોની સંખ્યા
જેમનામાં સૌથી વધારે એન્ટીબોડી જોવા મળી છે.
દેશ માટે તો આ ઘણા સારા સમાચાર છે
ઉલ્લેખીય છે કે જેમના જેટલા પ્રમાણમાં એન્ટીબોડી જોવા મળે છે તેટલા પ્રમાણમાં કોરોનાનો ઓછો ચેપ લાગે છે. વધારે એન્ટીબોડી ધરાવતી કોરોના સામે લડવાનું એક મજબૂત શસ્ત્ર છે. ત્રીજી લહેર પહેલા આટલા મોટી ટકાવારીમાં એન્ટીબોડી મેળવવી કંઈ જેવી તેવી વાત નથી. દેશ માટે તો આ ઘણા સારા સમાચાર છે.
કયા શહેરમાં કેટલા ટકા કોવિડ એન્ટીબોડી
મધ્યપ્રદેશ બાદ બીજો નંબરે આવતા રાજસ્થાનમાં 76.2 ટકા, બિહાર 75 75..9 ટકા સાથે ત્રીજા, ગુજરાત 75 75 ટકા સાથે ચોથું, છત્તીસગઢ 74. ટકા સાથે છઠ્ઠા, ઉત્તરાખંડ
73.1 ટકા સાથે છઠ્ઠું, ઉત્તર પ્રદેશમાં 71 ટકા સાતમા અને આંધ્રપ્રદેશ 70.૨ ટકા લોકોએ કોવિડ સામેની એન્ટીબોડી મેળવી લીધી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જૂન-જુલાઈમાં રાજસ્થાનના જુદા જુદા શહેરોમાંથી કુલ 1 હજાર 226 રેન્ડમ નમૂના લેવામાં આવ્યા હતા, જેની તપાસ કરવામાં આવી હતી અને 934 નમૂનાઓમાં એન્ટિબોડી મળી આવી હતી. આ સૂચવે છે કે રાજ્યના લોકોમાં કોરોના એન્ટિબોડીઝ હાજર છે.
સેરો સર્વે અહેવાલમાં જણાવાયું છે કે રાજસ્થાનમાં કોરોના બીજા મોજા દરમિયાન એપ્રિલ, મે અને મધ્ય જૂન સુધીમાં લગભગ 6 લાખ કેસ જોવા મળ્યા હતા. આ દરમિયાન 6 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં હતાં.