કોરોનાના કેસમાં રાહત જોવ મળી રહી છે. હાલમાં દેશમાં ફક્ત 0.75 ટકા એક્ટિવ કેસ છે. જે માર્ચ 2020 બાદથી સૌથી ઓછા છે.
24 કલાકમાં 18, 364 નવા મામલા
દેશમાં ફક્ત 0.75 ટકા એક્ટિવ કેસ, જે માર્ચ 2020 બાદથી સૌથી ઓછા
દેશમાં 97.93 એટલે કે લગભગ 98 ટકાના દરથી દર્દી સાજા થયા
કોરોનાના કેસમાં ભારતની સ્થિતિ સતત સારી થઈ રહી છે. એક તરફ નવા મામલા ઓછા આવી રહ્યા છે તો બીજી તરફ રસીના ડોઝ પણ લોકોને મોટા પાયે આપવામાં આવી રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા જારી આંકડા મુજબ ગત 24 કલાકમાં ફક્ત 18 હજારની નજીક નવા મામલા સામે આવ્યા છે. અત્યાર સુધીમાં દેશમાં 91.54 કરોડ ડોઝ અપાઈ ચૂક્યા છે.
દેશમાં ફક્ત 0.75 ટકા એક્ટિવ કેસ, જે માર્ચ 2020 બાદથી સૌથી ઓછા
આંકડા પર ધ્યાન આપીએ તો ગત 24 કલાકમાં 18, 364 નવા મામલાની પુષ્ટિ થઈ છે જે ગત 209 દિવસમાં સૌથી ઓછી છે. આ ઉપરાંત એક્ટિવ કેસમાં પણ ઘટાડો નોંધાયો છે. હાલમાં દેશમાં ફક્ત 0.75 ટકા એક્ટિવ કેસ છે. જે માર્ચ 2020 બાદથી સૌથી ઓછા છે. ઉલ્લેખનીય છે કે આજે દેશમાં 2, 52, 902 એક્ટિવ કેસ છે.
દેશમાં 97.93 એટલે કે લગભગ 98 ટકાના દરથી દર્દી સાજા થયા
રિકવરી રેટમાં પણ સુધારો થયો છે. દેશમાં 97.93 એટલે કે લગભગ 98 ટકાના દરથી દર્દી સાજા થઈ રહ્યા છે. ગત 24 કલાકમાં 29, 639 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. આ આંકડો 2020માં સૌથી વધારે છે.
આ અઠવાડિયામાં માત્ર 1.66 ટકાના દરથી લોકો કોરોના પોઝિટિવ થયા
કોરોના પોઝિટિવ થનારા દર્દીઓની અઠવાડિક સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. ગત 102 દિવસમાં સતત ત્રણ ટકાથી ઓછો છે. આ અઠવાડિયામાં માત્ર 1.66 ટકાના દરથી લોકો કોરોના પોઝિટિવ થયા છે. રોજના પોઝિટિવ થવાનો દર કાલે 1.61 ટકા રહ્યો છે. ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી દેશમાં 57. 53 કરોડ સેમ્પલની તપાસ કરવામાં આવી છે.