કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ 10 મહિના બાદ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. ગયા વર્ષે 19 મેના રોજ સુપ્રીમ કોર્ટે રોડ રેજ કેસમાં તેને એક વર્ષની સજા સંભળાવી હતી.
કોંગ્રેસનાં નેતા નવજોતસિંહ સિદ્ધુ 10 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા
19 મે 2022 નાં રોજ સુપ્રીમ કોર્ટ રોડ રેજ કેસમાં સંભળાવી હતી સજા
કોંગ્રેસનાં કાર્યકરોએ ઢોલ-નગારા વગાડીને સિદ્ધુનું સ્વાગત કર્યું
કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ 10 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા છે. ગયા વર્ષે 19 મેના રોજ સુપ્રીમ કોર્ટે રોડ રેજ કેસમાં તેને એક વર્ષની સજા સંભળાવી હતી.
કોંગ્રેસ નેતા સિદ્ધુએ પટિયાલા જેલમાંથી બહાર આવતાની સાથે જ મીડિયા સાથે વાત કરી હતી. સિદ્ધુની મુક્તિ પહેલા જ કોંગ્રેસના ઘણા કાર્યકરો પટિયાલા જેલની બહાર પહોંચી ગયા હતા. પટિયાલા જેલની બહાર ઢોલ-નગારાં વગાડીને સિદ્ધુનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
#WATCH | Patiala: Whenever a dictatorship came to this country a revolution has also come and this time, the name of that revolution is Rahul Gandhi. He will rattle the govt: Navjot Singh Sidhu soon after his release from Patiala jail pic.twitter.com/wkrBrObxDG
ગયા વર્ષે સુપ્રીમ કોર્ટે 1988ના રોડ રેજ કેસમાં સિદ્ધુને એક વર્ષની સજા સંભળાવી હતી. તે છેલ્લા 10 મહિનાથી જેલમાં હતો. તેને આજે મુક્ત કરવામાં આવ્યો હતો.
#WATCH | Congress leader Navjot Singh Sidhu released from Patiala jail, approximately 10 months after he was sentenced to one-year jail by Supreme Court in a three decades old road rage case pic.twitter.com/kzVB2vMnpk
જેલમાંથી બહાર આવતા સિદ્ધુનાં સરકાર પર પ્રહાર
જેલમાંથી બહાર આવતાની સાથે જ કોંગ્રેસ નેતા સિદ્ધુએ સરકાર પર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, દેશમાં લોકશાહી બાકી રહી જ નથી. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાના કાવતરામાં લઘુમતીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પંજાબમાં રાષ્ટ્રપતિ શાસન લાવવાનું ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. સિદ્ધુએ સરકારને પડકાર ફેંક્યો કે જો તમે પંજાબને નબળું પાડવાની કોશિશ કરશો તો તમે પોતે જ નબળા થઈ જશો.