16 મહિના બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહેલા અજિંક્ય રહાણેએ એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી છે. તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં આ સિદ્ધિ મેળવી હતી.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે WTCની ફાઇનલ મેચ રમાઈ રહી
અજિંક્ય રહાણેએ આ મેચમાં મોટો રેકોર્ડ બનાવ્યો
ટેસ્ટ ક્રિકેટમાં સો કેચ પકડનાર 7મો ખેલાડી બની ગયો
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડમાં રમાઈ રહી છે. ઓસ્ટ્રેલિયન ટીમનો પ્રથમ દાવ બીજા દિવસે 469 રન પર સમાપ્ત થયો હતો.16 મહિના બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી કરી રહેલા અજિંક્ય રહાણેએ આ મેચમાં એક ખાસ સિદ્ધિ પોતાના નામે કરી લીધી છે.
જણાવી દઈએ કે અજિંક્ય રહાણે ટેસ્ટ ક્રિકેટમાં સો કેચ પકડનાર 7મો ખેલાડી બની ગયો છે. તેણે પેટ કમિન્સનો કેચ પકડીને આ ખાસ સિદ્ધિ મેળવી હતી. પ્રથમ દાવમાં મોહમ્મદ સિરાજના બોલ પર પેટ કમિન્સે પોતાની વિકેટ ગુમાવી હતી.
મહત્વનું છે કે રહાણે પહેલા માત્ર 6 ભારતીયોએ આ કામ કર્યું છે. ભૂતપૂર્વ ક્રિકેટર અને ટીમ ઈન્ડિયાના વર્તમાન કોચ રાહુલ દ્રવિડના નામે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ કેચ પકડવાનો રેકોર્ડ છે. તેને 164 ટેસ્ટ મેચમાં કુલ 210 કેચ પકડ્યા છે.
Stumps on Day 2 of the #WTC23 Final!#TeamIndia 151/5 at the end of day's play and trail by 318 runs in the first innings.
બીજા ભારતીય ખેલાડીઓની વાત કરીએ તો વીવીએસ લક્ષ્મણે 134 ટેસ્ટ મેચોમાં 135 કેચ, સચિન તેંડુલકરે 200 મેચમાં 115 કેચ, વિરાટ કોહલીએ 109 મેચમાં 109 કેચ, સુનીલ ગાવસ્કરે 125 મેચોમાં 108 કેચ પકડ્યા છે અને મોહમ્મદ અઝહરુદ્દીને 99 મેચમાં 105 કેચ પકડ્યા છે. આ પછી રહાણેનો નંબર આવે છે જેણે ટેસ્ટમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં 100 કેચ પકડવાનું કામ કર્યું હતું.
ફાઈનલ મેચમાં ભારતે પ્રથમ દાવમાં 151 રન બનાવ્યા બાદ 5 વિકેટ ગુમાવી દીધી હતી. અજિંક્ય રહાણે અને ભરત અત્યારે ક્રિઝ પર છે. રહાણે 71 બોલમાં 29 રન બનાવીને રમતમાં છે. જ્યારે ભરત 14 બોલમાં 5 રન બનાવી શક્યો છે. હવે ટીમની સંપૂર્ણ જવાબદારી આ 2 બેટ્સમેન પર છે. કારણ કે આ પછી ટીમના બોલર બેટિંગ કરવા ઉતરશે.