પિયુષ ગોયલને આ જવાબદારી 19 જુલાઇથી શરૂ થનાર સત્ર પહેલા જ આપવામાં આવી. સંસદનું મોન્સુન સત્ર 19 જુલાઇથી 13 ઓગસ્ટ સુધી ચાલશે.
પૂર્વ કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતની જગ્યા સંભાળશે
સંસદનું મોન્સુન સત્ર 19 જુલાઇથી 13 ઓગસ્ટ સુધી ચાલશે
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને મોટું પ્રમોશન
પૂર્વ કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતની જગ્યા સંભાળશે
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને મોટું પ્રમોશન મળ્યું છે. હવે તે રાજ્યસભામાં સદનના નેતા હશે. તે હાલમાં જ રાજ્યપાલ બનાવવામાં આવેલ પૂર્વ કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગેહલોતની જગ્યા સંભાળશે. હાલમાં જ મોદી સરકારના મંત્રી મંડળમાં ફેરફાર કરવામાં આવ્યા. હવે તે વાણિજ્ય મંત્રી છે. આ ઉપરાંત તેમની પાસે ઉપભોક્તા અને ખાદ્ય આપૂર્તિ મંત્રાલય પણ છે. ટેક્સટાઇલ મિનિસ્ટ્રીનો પ્રભાર પણ તેમની પાસે જ છે. પિયુષ ગોયલને આ જવાબદારી 19 જુલાઇથી શરૂ થનાર સત્ર પહેલા જ આપવામાં આવી. સંસદનું મોન્સુન સત્ર 19 જુલાઇથી 13 ઓગસ્ટ સુધી ચાલશે.
સંસદનું મોન્સુન સત્ર 19 જુલાઇથી 13 ઓગસ્ટ સુધી ચાલશે
પિયુષ ગોયલ પહેલા રાજ્યસભામાં નેતા સદનનું પદ પૂર્વ સામાજિક અને ન્યાયમંત્રી થાવરચંદ ગેહલત પાસે હતું. જેને હવે કર્ણાટકના રાજયપાલ બનાવવામાં આવ્યા. આ પદ પર તેમના પૂર્વે અરુણ જેટલી હતા. જો જોવા જઈએ તો પિયુષ ગોયલનું આ રજનીતિમાં ઘણું મોટું પ્રમશોન છે. કારણકે પિયુષ ગોયલને PM મોદીનો વિશ્વાસ જીતવા વાળા કેંદ્રીય મંત્રીઓમાં ગણવામાં આવે છે. મોદી સરકારના પહેલા કાર્યકાળથી જ તે કેન્દ્રીય કેબીનેટમાં સક્રિય છે.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને મોટું પ્રમોશન
સાંસદનું ચોમાસું સત્ર 19 જુલાઇથી શરૂ થાય તે પહેલા સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ સર્વદળીય બેઠક બોલાવી છે. આ બેઠક 18 જુલાઇના રોજ થશે, જેમાં કેન્દ્ર સરકાર તરફથી અને વિપક્ષી પક્ષો પાસે સંચાલનણી અપીલ કરવામાં આવશે. આ સત્ર 26 દિવસ સુધી ચાલશે. પણ રજાઓને બાદ કરતાં માત્ર 19 દિવસ જ કામ કરવામાં આવશે. આ 19 દિવસમાં મોદી સરકાર 30 બિલ પાસ કરવાની તૈયારીમાં છે.