દેશમાં મહામારીના અંતને લઈને કાનપુરની IITના પ્રોફેસર મનિંદર અગ્રવાલે એક મોટો દાવો કરીને રાહતના સમાચાર આપ્યાં છે.
ભારતમાં કોરોનાના અંતને લઈને મોટી ભવિષ્યવાણી
કાનપુરની IITના પ્રોફેસર મનિંદર અગ્રવાલનો દાવો
ફેબ્રુઆરીના અંતમાં ભારતમાંથી કોરોના ખતમ થઈ જશે
દિલ્હીમાં જાન્યુઆરીના અંતમાં કોરોના જતો રહેશે
ભારતમાં હવે મહામારીના અંતને લઈને મોટી આગાહી થઈ છે. કાનપુરની IITના પ્રોફેસર મનિંદર અગ્રવાલનો દાવો છે કે દિલ્હીમાં જાન્યુઆરીના અંતમાં અને ભારતમાં ફેબ્રુઆરીના અંતમાં કોરોના ખતમ થઈ જશે. તેમણે કહ્યું કે ભારતમાં ફેબ્રુઆરીના અંત સુધીમાં કોવિડની લહેર ખતમ થઈ જશે. અત્યાર સુધી કોઈ મોટા રાજ્યે કોવિડ પીકને પાર કરી નથી. કેટલાક રાજ્યો આગામી એક અઠવાડિયામાં કોવિડ પીકને પાર કરી જશે.
કોરોનાની પીક ધારણા કરતાં ઓછી ખતરનાક હશે
પ્રોફેસર મનિંદર અગ્રવાલે કહ્યું છે કે કોરોનાની પીક ધારણા કરતાં ઓછી ખતરનાક હશે. તેમણે કહ્યું કે કોરોનાની ત્રીજી લહેરમાં એક દિવસમાં આવતા કેસ 4 મિલિયનથી વધુ નહીં હોય. અગાઉ ઝડપથી વધી રહેલા કેસોના આધારે પ્રો.અગ્રવાલે અંદાજ લગાવ્યો હતો કે કોરોના પીક પર આવશે ત્યારે રોજના 7 લાખ કેસ આવશે. ઼
બંગાળ, દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોના ઘટ્યો
ઉલ્લેખનીય છે કે ભારતના ત્રણ રાજ્યો બંગાળ, દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોના ઘટ્યો છે. હજુ થોડા દિવસ પહેલા આ ત્રણ રાજ્યોમાં કોરોનાના સૌથી વધારે કેસ આવતા હતા પરંતુ તેમાં હવે દેખીતો ઘટાડો આવ્યાં છે જે ત્રીજી લહેરના અંત તરફનો મોટો સંકેત છે. આગામી દિવસમાં કોરોનાના કેસ ઘટશે.
મહામારીનો અંત હવે નજીકમાં-અમેરિકી વૈજ્ઞાનિક
વોશિંગ્ટનનાં એક વૈજ્ઞાનિક અને વાયરોલોજીસ્ટ ડો. કૂતુબે કહ્યું હતું કે આ મહામારી હંમેશ માટે નથી ચાલવાની. તેનો અંત હવે નજીકમાં જ છે. અને ડો. કૂતુબે એમ પણ હતું કે શતરંજના આ ખેલમાં કોઈ વિજેતા નથી. આ એક ડ્રો મેચ જેવી છે. જેમાં વાયરસ છુપાઈ જાય છે અને આપણે વાસ્તવમાં જીતીશું જ.
જલ્દીથી માસ્કથી મળશે છુટકારો
ડો. કૂતુબે કહ્યું કે આપણે આ જંગ જીતવાના છીએ અને આપણને સૌને જલ્દીથી માસ્કથી છુટકારો મળશે. આશા છે કે આપણે સૌ ફરીથી આગળ વધીએ.