ગુજરાતના મુંદ્રા પોર્ટ પર પકડાયેલ 21 હજાર કરોડનાં ડ્રગ્સનાં જથ્થા મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
રાજ્યમાં ડ્રગ્સ ઘૂસાડવાનો મામલો
ગુજરાત ATS અને NIAએ દ્વારા તપાસ
ED પણ તપાસમાં જોડાઇ
ગુજરાત ATSએ ડ્રગ્સના નેટવર્કને લઈને તપાસ શરૂ કરી
ગુજરાત રાજ્યમાં આવેલ મુંદ્રા પોર્ટ પર હજારો કિલો હેરોઇન પકડાવવા મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત ATS અને NIA દ્વારા સંયુક્ત તપાસ શરૂ કરી દેવામાં આવી છે જેમા ડ્રગ્સ અફઘાનિસ્તાનથી લવાયું હોવાનો ખુલાસો થયો છે. હાલમાં જ અફઘણાનિસ્તાનમાં આતંકવાદીઓ સત્તા પર આવ્યા છે ત્યારે ગુજરાતમાં થયેલા આ સૌથી મોટા કાળા કારોબારમાં તાલિબાનની સંડોવણી હોવાની આશંકા છે.
તપાસનો ધમધમાટ : પાકિસ્તાન અને તાલિબાનનો હાથ હોવાની આશંકા
સરકારનાં નાક નીચે હજારો કિલો ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવાનું કામ કરવામાં આવ્યું છે ત્યારે ભારતને નશામાં ખરાબ કરવામાં પાકિસ્તાનનો પણ હાથ હોય શકે છે ત્યારે ISI તથા તાલિબાન હવે તપાસ એજન્સીઓની રડારમાં આવી ગયા છે. આ કનેક્શનની તપાસ હવે મુંદ્રાથી ગાંધીધામ, દિલ્હી, માંડવી, ચેન્નઈ અને અમદાવાદ સુધી પહોંચી છે. એવામાં આગમી સમયમાં તપાસ બાદ કેટલાક નવા નામો સામે તેવી પૂરેપૂરી શક્યતા છે.
ડ્રગ્સનો અત્યાર સુધીનો સૌથી મોટો જથ્થો ઝડપાયો
નોંધનીય છે કે DRIએ આ ડ્રગ્સનો જથ્થો મુંદ્રા પોર્ટ પર પકડી પાડ્યો હતો જેમા ડ્રગ્સની કિંમત હવે 21 હજાર કરોડની હોવાનું સામે આવ્યું છે. હજારો કરોડનાં કાળા કારોબારનાં આ કૌભાંડનમાં ED પણ તપાસમાં જદોઆઈ છે. 21 હજાર કરોડ રૂપિયાનો જથ્થો પકડાવવો એ ભારતનાં ઈતિહાસમાં પહેલી ઘટના છે ત્યારે હવે આ કેસ પર આખા દેશની નજર છે.
અદાણીએ આપી સફાઇ
અબજોપતિ ગૌતમ અદાણીમાં ચાલતી અદાણી કંપની મુંદ્રા પોર્ટનું સંચાલન કરે છે ત્યારે ડ્રગ્સ પકડાવવા મામલે કંપનીએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે Directorate of Revenue Intelligence વિભાગ દ્વારા ડ્રગ્સનો જથ્થો પકડાયો છે જેના માટે તેમનો આભાર. કંપનીએ કહ્યું કે અમારું કામ માત્ર પોર્ટનું સંચાલન કરવાનું છે અમે તેની તપાસ કરતાં નથી. પોર્ટનું સંચાલન કરવા પૂરતું જ અમે કામ કરીએ છે. કંપનીએ કહ્યું કે સોશ્યલ મીડિયામાં ચાલી રહેલા ખોટા પ્રચારો પર રોક લાગવી જોઈએ.
કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ સવાલ ઉઠાવતા કહ્યું છે કે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોનું પદ છેલ્લા 18 મહિનાથી ખાલી કેમ છે? પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પોતે ગુજરાતથી આવ છે તે આ ડ્રગ સિન્ડીકેટને તોડવામાં અસમર્થ કેમ છે? ખેડાએ દાવો કરતાં કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતનાં તટ પર પાકિસ્તાન, ઈરાન અને અફઘાનિસ્તાન દ્વારા નશીલા પદાર્થોની હેરાફેરી કરવામાં આવે છે અને આ જ માર્ગ તેમનો ફેવરિટ બની ગયો છે. ખેડાએ ખૂબ જ ગંભીર આરોપ લગાવતા કહ્યું કે ડ્રગ્સનાં 10 જથ્થાઓને જવા દેવામાં આવે છે અને એકને પકડી લેવામાં આવે છે જેથી લોકોને એવું લાગે કે એજન્સીઓ કામ કરી રહી છે.