નર્મદાના કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખૂદ આ કાર્યક્રમમાં હાજર રહેવાના છે ત્યારે SOUમાં મુલાકાતીઓ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
PM મોદી આવશે ગુજરાત
28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ટિકિટોનું બુકિંગ કરાયુ બંધ
સત્તાવાર વેબસાઈટ પર મુકાઈ નોટિસ
રાષ્ટ્રીય એકતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી ગુજરાતના મહેમાન બનાવાના છે. આ દિવસે PM ગુજરાત આવશે અને નર્મદા ખાતે સરદાર પટેલની જન્મ જયંતિની ધામધૂમ પૂર્વ ઉજવણીમાં ભાગ લેશે,મહત્વનું છે કે 31 ઓક્ટોબરે સરદાર જયંતિ આવે છે અને તેમના માનમાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વડાપ્રધાન મોદી ફરી ગુજરાત આવી રહ્યા છે.
SOU રહેશે બંધ
પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસને લઈને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી સામાન્ય જનતાના પ્રવાસ માટે બંધ કરવાનો સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. PM મોદીના આગમનને પગલે સુરક્ષા-પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી ટિકિટોનું બુકિંગ બંધ કરવામાં આવ્યું છે. જેની સત્તાવાર જાહેરાત સ્ટેચ્યુ ઓફ યુનિટી તંત્ર દ્વારા વેબસાઇટ પર સત્તાવાર નોટિસ મુકીને કરવામાં આવી છે.
30 ઓક્ટોબરના કેવડિયા આવશે
જો કે PM મોદી સરદાર જયંતિની આગલી સાંજે જ ગુજરાત આવી જશે અને 30 ઓક્ટોબરના રોજ કેવડિયા ખાતે રાત્રિ રોકણ કરશે. વડાપ્રાધનમોદી તે સાંજે જ નર્મદા આરતી ઘાટનું પણ લોકાર્પણ કરશે. તેમજ વહેલી સવારે સરદાર પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી વિવિધા પ્રકલ્પો અને ખાતમૂહૂર્તના કાર્યક્રમો કરશે.
નર્મદા આરતી ઘાટનું કરશે લોકાર્પણ
આ દિવસે વડાપ્રધાન મોદી દેશની જનતાને સંબોધિત કરે તવું પણ મનાઈ રહ્યું છે, 31 ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય એકતા દિવસ પર સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા પરેડ પણ યોજાશે જેને વડાપ્રધાન મોદી સલામી આપશે.