પાટીદાર અનામત આંદોલન સમયે થયેલા કેસને સરકાર દ્વારા કેસ પરત ખેચવાની કાર્યવાહી ઝડપી કરવામાં આવી છે. આ મામલે જિલ્લા કલેક્ટર સાથે વીડિયો કોન્ફરન્સથી કેસની વિગત માંગી હતી.
PAAS આંદોલન સમયના કેસોનો મામલો
સરકારે કેસ પાછા ખેંચવા કરી તૈયારી
કલેક્ટર પાસેથી કેસો અંગે મંગાવી વિગતો
કલેક્ટર પાસેથી કેસો અંગે મંગાવી વિગતો
પાટીદાર અનામનત આંદોલન સમયે પાટીદાર યુવાનો પર થયેલા કેસોને લઇ મોટા સમાચાર આવી રહ્યા છે. પાટીદાર યુવાનો પર આંદોલન સમયે થયેલા કેસો પરત ખેંચવા માટેની કાર્યવાહી ઝડપી બની છે. સરકારે જિલ્લા કલેક્ટર પાસેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી કેસની વિગતો મંગાવી છે.
સરકારે કેસ પાછા ખેંચવા કરી તૈયારી
પાસ, ખોડલધામ, ઉમિયાધામ દ્વારા સરકાર પાસે કેસો પરત ખેંચવા માટે માંગણી કરાઇ હતી. આંદોલન સમયે થયેલા કેટલાક કેસો હજુ પરત ખેંચાયા નથી. આ કેસો પરત ખેંચવા મુદ્દે પાસ દ્વારા એક મિટીંગનુ આયોજન કરી સરકારને કેસો પરત નહીં ખેંચાય તો આંદોલન કરવાની ચીમકી પણ આપી હતી.
કેસ પરત ન ખેંચાય તો આંદોલન કરવાની ઉચ્ચારાઈ છે ચીમકી
જો સરકાર નિયત સમયમાં કેસ પાછા ન ખેંચે તો PAAS આંદોલનકારીઓ દ્વારા આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી હતી.હાલ તો સરકાર દ્વારા કેસ પરત ખેંચવા માટેની તમામ તૈયારી કરવામાં આવી રહી છે.
2015માં થયેલા પાટીદારોના આંદોલનમાં હજારો લોકો સામે કેસ કરવામાં આવ્યા હતા.
ગુજરાતમાં વર્ષ 2015માં થયેલા પાટીદારોના આંદોલનમાં હજારો લોકો સામે કેસ કરવામાં આવ્યા હતા. આંદોલન અંતર્ગત પાટીદાર સમાજના લગભગ 25 લાખથી વધુ લોકો સમગ્ર રાજ્યમાંથી અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં એકઠા થયા હતા. હાર્દિક પટેલની ધરપકડ બાદ પોલીસ અને પાટીદાર સમાજના લોકો વચ્ચે ઠેર-ઠેર ઘર્ષણનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.જેમાં અનેક લોકો ઘાયલ થયા હતા,જ્યારે પાટીદાર સમાજના અમુક લોકોનાં મૃત્યુ પણ થયાં હતાં. આંદોલનમાં ભાગ લેનારા ઘણા લોકો સામે ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જેને હટાવવાની માગ ઘણા સમયથી પાટીદાર સમાજના આગેવાનો કરી રહ્યા છે.