જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370ની નાબૂદી, રામમંદિર નિર્માણ અને CAA ના કાયદા બાદ માનવામાં આવી રહ્યું હતું કે હવે ભાજપના નેતૃત્વ વળી કેન્દ્ર સરકારનું આગામી લક્ષ્ય ભારતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગૂ કરવાનું છે, જેણે લઈને સરકારે સંસદમાં આજે એક મોટું નિવેદન આપ્યું છે.
કેન્દ્રીય કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે સંસદમાં આપી માહિતી
સરકાર કહ્યું તેઓ જનાદેશનું સન્માન કરવા માટે પ્રતિબદ્ધ, પણ વિમર્શ જરૂરી
દેશમાં UCC લાગૂ કરવાની ચાલી રહેલી અફવાઓ વચ્ચે બુધવારે સરકારે સંસદમાં નિવેદન આપ્યું હતું અને તેના વિશે ચાલતી બધી જ અફવાઓનો અંત લાવી દીધો હતો. સરકારે લોકસભામાં કહ્યું હતું કે, "યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે તેઓ પ્રતિબદ્ધ છે પરંતુ વિસ્તૃત વિચાર વિમર્શ બાદ જ આ મુદ્દે કોઈ નિર્ણય લેવામાં આવશે."
જાણો કાયદા પ્રધાને શું કહ્યું સંસદમાં
બુધવારે સરકાર તરફથી બોલતા કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે "ભારતના બંધારણમાં પ્રદેશના તમામ નાગરિકો માટે સમાન 'સિવિલ કોડ' લાવવા માટેના પ્રયત્નોની વાત કરવામાં આવી છે, જો કે આ માટે વિસ્તૃત ચર્ચા કરવાની જરૂર છે."
લોકસભામાં દુષ્યંતસિંહના પ્રશ્નના લેખિત જવાબમાં કાયદા અને ન્યાય પ્રધાન રવિશંકર પ્રસાદે કહ્યું, 'ભારતના બંધારણની કલમ 44 કહે છે કે રાજ્ય, ભારતના સમસ્ત રાજ્ય ક્ષેત્રમાં વસતા નાગરિકો માટે એક સમાન સિવિલ કોડ લાવવા હેતુ પ્રયાસ કરશે."
શું અલ્પસંખ્યકોના દરજ્જાને સમાપ્ત કરી દેવામાં આવશે?
જો કે કાયદા પ્રધાને એમ પણ કહ્યું હતું કે તેમની સરકાર જનાદેશને માન આપવા માટે પ્રતિબદ્ધ છે, યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે મોટા પાયે ચર્ચા વિમર્શની જરૂર છે. શું યુનિફોર્મ સિવિલ કોડ હેઠળ અમુક ધર્મોને અપાયેલી લઘુમતીની સ્થિતિને નાબૂદ કરવાની સરકારની કોઈ યોજના છે તેવા પ્રશ્નના જવાબમાં કાયદા પ્રધાને ના પાડી હતી.
શું છે યુનિફોર્મ સિવિલ કોડ ?
યુનિફોર્મ સિવિલ કોડ એટલે ધર્મનિરપેક્ષ કાયદો જે તમામ જાતિના લોકો માટે સમાનરૂપે લાગુ પડે છે. જો તેને અલગ રીતે કહેવામાં આવે તો આ સિસ્ટમ હેઠળ જુદી જુદી જાતિઓ માટે કોઈ અલગ નાગરિક કાયદો રાખવામાં નથી માનતી, અને આ 'યુનિફોર્મ સિવિલ કોડ' ની મૂળ ભાવના છે. સમાન નાગરિક કાયદો એટલે આવા કાયદા જે દેશના તમામ નાગરિકોને લાગુ પડે છે (પછી ભલે તે કોઈ સંપ્રદાયના હોય). આ કાયદા કોઈપણ જાતિના તમામ ખાનગી કાયદાઓથી ઉપર છે.