રાજૂ શ્રીવાસ્તવના અંગત સચિવ ગરવિત નારંગે આપી માહિતી
રાજુની હાલતમાં સુધારો થઈ રહ્યો છે અને તે સ્વસ્થ થઈ રહ્યો છે: ગરવિત નારંગ
કોમેડિયન અભિનેતા રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક બાદ દિલ્હીની AIIMSમાં દાખલ કરાયા બાદ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ હાલ તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. થોડા સમય પહેલા તેમના અંગત સચિવ ગરવિત નારંગે એક નિવેદનમાં કહ્યું હતું કે, રાજુની હાલતમાં સુધારો થઈ રહ્યો છે અને તે સ્વસ્થ થઈ રહ્યો છે.
રાજુ શ્રીવાસ્તવ હાલ ICUમાં છે અને વેન્ટિલેટર સપોર્ટ પર છે. તેમને 10 ઓગસ્ટના રોજ હાર્ટ એટેક આવ્યા બાદ દિલ્હીના ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)માં દાખલ કરવામાં આવ્યા હતા. તે જ દિવસે તેમની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી.
રાજુ શ્રીવાસ્તવના સેક્રેટરીએ શું કહ્યું ?
ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, રાજુ શ્રીવાસ્તવના સેક્રેટરી ગરવિત નારંગે કહ્યું, “રાજુ શ્રીવાસ્તવની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે તે જલ્દી સ્વસ્થ થઈ જાય.” અગાઉ, રાજુના પરિવારે તેમના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ પેજ પર એક નિવેદન જારી કર્યું હતું કે કોમેડિયનની સ્થિતિ 'સ્થિર' છે.
The health condition of Raju Srivastava is improving. We pray that he recovers soon: Garvit Narang, Personal Secretary of Raju Srivastava
He was admitted to AIIMS Delhi on August 10 after experiencing chest pain and collapsing while working out at the gym.
રાજુ શ્રીવાસ્તવના પરિવારે એક નિવેદનમાં કહ્યું, “રાજુ શ્રીવાસ્તવ જીની હાલત સ્થિર છે. અમે તેમના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરીએ છીએ. ડોકટરો તેમની સારવાર કરી રહ્યા છે અને તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે. તેમના સતત પ્રેમ અને સમર્થન માટે તમામ શુભેચ્છકોનો આભાર,” તેમના પરિવાર સાથે લોકોને ખોટા સમાચાર અને અફવાઓ પર ધ્યાન ન આપવાની અપીલ કરી હતી.
ડોક્ટર્સનું શું કહેવું છે ?
ડોક્ટર્સનું કહેવું છે કે, જ્યારે રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેક આવ્યો ત્યારે તેમના મગજમાં લોહીનો પુરવઠો 3થી 4 મિનિટ માટે અવરોધાયો હતો. જેના કારણે રાજુના મગજમાં ઓક્સિજનની ઉણપ હતી અને તે મગજની ઈજાનો શિકાર બન્યો હતો. જેથી તે આઘાતમાં સરી પડ્યો. એમઆરઆઈ ટેસ્ટમાં રાજુના મગજમાં ઈજાની પુષ્ટિ થઈ છે. ડોકટરોના મતે હાર્ટ એટેકના કારણે મગજની ઈજામાં રિકવરી ઘણી જટિલ હોવાથી તે ઘણો સમય લે છે.