દુનિયાના ઘણા દેશોમાં વેક્સિનેશન છતાં કોવિડના કેસ વધવા લાગ્યા છે. નિષ્ણાતો પણ કોરોનાના નવા વેરિઅન્ટ સામે આવવાની વાત કહી રહ્યા છે. તેઓ માને છે કે કોરોનાનો નવા વેરિઅન્ટ આવશે.
કોરોનાના વધુ નવા ઘાતક વેરિઅન્ટ સામે આવશે,નિષ્ણાતોએ કરી ચેતવણી
જ્યાં સુધી વાઈરસ લોકોને સંક્રમિત કરતો રહેશે ત્યાં સુધી નવા વેરિઅન્ટ આવશે
નવો વેરિઅન્ટ આવે તો વેક્સિનને અપડેટ કરવી પડશે
વાઇરસ લોકોને સંક્રમિત કરતો રહેશે ત્યાં સુધી નવા વેરિઅન્ટ સામે આવતા રહેશે.
નિષ્ણાતોનુ માનવું છે કે જ્યાં સુધી વાઇરસ લોકોને સંક્રમિત કરતો રહેશે ત્યાં સુધી તેના નવા વેરિઅન્ટ સામે આવતા રહેશે. જોકે એનો અર્થ એ નથી કે નવા વેરિઅન્ટ સતત આવતા રહેશે અથવા તે વધુ ખતરનાક હશે. નિષ્ણાતોનું કહેવું છે કે હજુ પણ દુનિયાની અડધાથી વધુ વસ્તીનું વેક્સિનેશન થવાનું બાકી છે. આવા સંજોગોમાં કેટલાય મહિનાઓ કે વર્ષો સુધી સંક્રમણ રહેવાનો ખતરો છે. તેઓ કહે છે કે, જ્યારે વાઇરસ પોતાની કોપી બનાવે છે ત્યારે તેમાં નાનકડું મ્યૂટેશન થઇ શકે છે. જે વાઇરસ ને જીવતો રહેવામાં મદદ કરે છે અને તેનાથી નવા વેરિઅન્ટ બની શકે છે.
નવો વેરિઅન્ટ આવે તો વેક્સિનને અપડેટ કરવી પડશે
અમેરિકાની પેન્સિલ્વેનિયા સ્ટેટ યુનિવિર્સટીના વાઇરસ એક્સપર્ટ એન્ડ્રયુ રીડ કહે છે કે, જ્યારે કોઇ વાઇરસ કોઇ નવી પ્રજાતિને સંક્રમિત કરે છે તો તેને વધુ ફેલાવા માટે નવા હોસ્ટની જરૂર હોય છે. મિશિગન યુનિવિર્સટીમાં સંક્રમિત રોગના નિષ્ણાત ડો. એજમ લોરિગ કહે છે કે, સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા મુજબ ડેલ્ટા વેરિઅન્ટ વાઇરસના છેલ્લા વેરિઅન્ટની તુલનામાં વધુ સંક્રામિત છે. તે હજુ વધુ સંક્રમણ થવા માટે મ્યૂટેશન થઇ શકે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જો આમ થશે તો વેક્સિનને અપડેટ કરવી પડશે. જેમ દર વર્ષે ફ્લુની વેક્સિન આપવામાં આવે છે, તે રીતે આ વેક્સિન પણ આપવી પડશે.