ગુજરાતના પોલીસ વિભાગમાં IPS કક્ષાના અધિકારીઓની બદલી અને બઢતીના સમાચાર સામે આવ્યા છે. 6 IPS/SPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે.
IPS કક્ષાના અધિકારીઓની બદલી અને બઢતીના સમાચાર
IPS અમિત વિશ્વકર્માની પણ બદલી કરાઈ
3 IPS અધિકારીને બઢતી દ્વારા IGમાંથી ADG તરીકે પોસ્ટ
ગુજરાતના પોલીસ વિભાગમાં IPS કક્ષાના અધિકારીઓની બદલી અને બઢતીના સમાચાર સામે આવ્યા છે. 6 IPS/SPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. તો 3 IPS અધિકારીને બઢતી આપી IGમાંથી ADG તરીકે જે-તે પોસ્ટ પર કાર્યરત રાખવામાં આવ્યા છે.
તો બીજી તરફ 6 IPS અને SPS અધિકારીઓને બદલી કરવામાં આવી છે. આ બદલીઓમાં IPS અમિત વિશ્વકર્માની પણ બદલી કરવામાં આવી છે. અમિત વિશ્વકર્માને થોડા સમય અગાઉ પહેલા અમદાવાદ જોઈન્ટ કમિશ્નર પોલીસ (ક્રાઈમબ્રાંચ) તરીકે ફરજ આપવામાં આવી હતી. જ્યારે આ બદલીમાં IPS અમિત વિશ્વકર્માને IG (ઓપરેશન)માં હાલ ફરજ પર મુકવામાં આવ્યા છે. માત્ર 5 મહિનામાં વિશ્વકર્માને ક્રાઈમબ્રાંચ જેવા મોભાદાર પદ પરથી ખસેડી દેવાયા છે. સૂત્રોના કહેવા પ્રમાણે વિશ્વકર્માની કાર્યપ્રણાલીથી સરકાર ખૂશ નહોતી. IPS અમિત વિશ્વકર્મા પાસે અમદાવાદ IG (ઓપરેશન)ઉપરાંત ATSનો વધારોનો હવાલો અપાયો છે.
IPS અમિત વિશ્વકર્મા પર શું લાગ્યા હતા આક્ષેપ?
અમદાવાદના એક નામાંકિત બિલ્ડર અને રિયલ એસ્ટેટ ફેમિલી જે હાલમાં લેન્ડ ગ્રેબિંગ પ્રો.ના કેસમાં જેલવાસો ભોગવી રહ્યા છે. આ પરિવારની મદદના આરોપ પણ IPS વિશ્વકર્મા પર લાગ્યા હતા.
IPS પ્રેમવિર સિંહને અપાઈ આ મહત્વની ફરજ
અન્ય મહત્વની બદલીમાં ક્રાઈમ બ્રાંચમાં સરકારે પ્રેમવિર સિંહને એડિશનલ કમિશનર અમદાવાદ તરીકે ફરજ પર મૂકવામાં આવ્યા છે. તો તેમની સાથે સાબરકાંઠાના SP ચૈતન્ય માંડલિકને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ વિભાગના DCP તરીકે ફરજ સોંપવામાં આવી છે.
સાબરકાંઠાના SP ચૈતન્ય માંડલિકની જગ્યાએ નવા પોલીસ અધિક્ષક તરીકે નિરજ બડગુજરને ફરજ સોંપવામાં આવી છે. અને તેમની બદલી હવે સાબરકાંઠામાં કરવામાં આવી છે.
ડોન જયેશના કારણે દિપેન ભદ્રનને રાતોરાત જામનગર મોકલાયા હતા
ઉલ્લેખનીય છે કે, અગાઉ ક્રાઇમ બ્રાન્ચ DCP દિપેન ભદ્રનને રાતોરાત જામનગરના SP તરીકે મુકવામાં આવ્યા હતા. તેમની રાતોરાત બદલી કરવાનું કારણ એવું હતું કે, જામનગરમાં ડોન જયેશ પટેલ દ્વારા મોટાપાયે ખંડણીનું નેટવર્ક સ્થપાયું હતું. જેને તોડવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાન્ચના DCPને દિલ્હીની સૂચનાથી જામનગર મોકલવામાં આવ્યા હતા.
બીજી મહત્વની બદલીમાં સરકારે વી.ચંદ્રશેખરને અમદાવાદ રેન્જ આઈજીની જગ્યાએ નિમણૂક કરી હતી. તાજેતરમાં આ જગ્યા કે.જી.ભાટીના અવસાનથી ખાલી પડી હતી. વી.ચંદ્રશેખરની ગણના સક્ષમ અધિકારી તરીકે કરવામાં આવે છે. જણાવી દઇએ કે, તેઓ અગાઉ કેન્દ્ર સરકારના વિભાગમાં પણ ફરજ બજાવી ચૂક્યા છે.