હિમાચલ પ્રદેશમાં છેલ્લા 130 દિવસમાં વરસાદનાં કારણે 432 લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે.
મેઘકહેરના પગલે 123 રસ્તાઓ બંધ કરવાની નોબત
130 દિવસમાં વરસાદના કારણે 432 લોકોના મોત નીપજ્યાં
ભારે વરસાદના કારણે 1108 કરોડની સંપત્તિને નુક્સાન થયું
ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત
હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદનાં કારણે જનજીવન ખૂબ જ અસ્તવ્યસ્ત થઈ ગયું છે, રાજ્યમાં ભારે વરસાદનાં કારણે છેલ્લા 24 કલાકમાં દસ લોકોનાં નિધન થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જયારે હિમાચલ પ્રદેશ સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ આંકડાઓ અનુસાર રાજ્યમાં છેલ્લા 130 દિવસમાં વરસાદનાં કારણે 432 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.
મેઘકહેરના પગલે 123 રસ્તાઓ બંધ કરવાની નોબત
HPDMA દ્વારા આપવામાં આવેલ જાણકારી અનુસાર છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદનાં કારણે પ્રાકૃતિક આફતો અને રસ્તાઓ પર દુર્ઘટનાની ઘટનાઓ સામે આવી છે જેમા દસ લોકોનાં મોતનાં સમાચાર સામે આવી રહ્યા છે. મેઘરાજાનાં કહેરનાં કારણે રાજ્યમાં 123 રસ્તાઓ બંધ કરી દેવાની નોબત આવી છે.
ભારે વરસાદના કારણે 1108 કરોડની સંપત્તિને નુક્સાન થયું
રાજ્ય સરકારે જાહેર કરેલ આંકડાઓ અનુસાર વરસાદનાં કારણે 1,108 કરોડની સંપત્તિ અને 745 કરોડનું નુકસાન ખેતી ક્ષેત્રમાં થયું છે. હજુ પણ 12 લોકો ગુમ હોવાની વાત સામે આવી રહી છે જ્યારએ 857 ઘરો ધરાશાયી થઈ ગયા છે. વરસાદનાં કારણે ગઇકાલે પણ શિમલામાં ભૂસ્ખલનની ઘટના સામે આવી હતી. જોકે કોઈ પણ જાનહાનિ થઈ હોવાના અહેવાલ આવ્યા નથી, હાલ રસ્તા પર તંત્ર દ્વારા કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.