વ્યાજ પર વસૂલવામાં આવતા વ્યાજને સમાપ્ત કરવા અને જુદા જુદા ક્ષેત્ર અનુસાર મોરટોરિયમનો સમયગાળો વધારવા માટે કેન્દ્ર સરકાર આગામી 2 થી 3 દિવસમાં પોતાનો નિર્ણય જાહેર કરી શકે છે.
મોદી સરકાર આગામી 2 થી 3 દિવસમાં લઈ શકે છે નિર્ણય
મોરેટોરિયમમાં વ્યાજ પર લાગવા વાળા વ્યાજ ને લઈને કરી શકે છે નિર્ણય
કેન્દ્ર સરકારે સોમવારે કોર્ટ પાસે વધુ ત્રણ દિવસનો સમય માંગ્યો હતો
લોન મોરેટોરિયમ ના કેસમાં સુપ્રીમ કોર્ટ માં સુનાવણી હાલ મુલતવી રાખવામાં આવી છે. કેન્દ્ર સરકાર એ આ અંગેના નિર્ણય માટે વધુ સમય માંગ્યો છે, જે પછી સુપ્રીમ કોર્ટે સુનાવણી 5 ઓક્ટોબર સુધી મુલતવી રાખી છે.
કેન્દ્ર સરકાર એ સોમવારે કોર્ટ પાસેથી 3 દિવસનો વધુ સમય માંગ્યો છે. કોર્ટ સમક્ષ વિગતો રાખવા મોદી સરકાર ને થોડો વધુ સમયની જરૂર છે. આ કેસમાં કેન્દ્ર સરકાર 1 ઓક્ટોબર સુધીમાં સુપ્રીમ કોર્ટ માં સોગંદનામું દાખલ કરી શકે છે. નોંધનીય છે કે RBI એ માર્ચ મહિનામાં 3 મહિના માટે લોન મોરટોરિયમ શરૂ કર્યું હતું, જે પછીથી વધુ ત્રણ મહિના માટે વધારીને 31 ઓગસ્ટ કરવાંઅ આવી હતી, પરંતુ સુપ્રીમ કોર્ટ ની દરમિયાનગીરી બાદ તેને પહેલા 28 સપ્ટેમ્બર અને પછી 5 ઓકટોબર સુધી વધારવામાં આવી છે.
પેનલની કરવામાં આવી હતી રચના
સરકાર ના એફિડેવિટ માં વ્યાજ પર લગતા વ્યાજ અને અલગ અલગ ક્ષેત્રો માટેના મોરેટોરિયમ ની મુદ્દત વધારવા ઉપર કેન્દ્ર સરકાર પોતાનો પક્ષ રજૂ કરી શકે છે. સરકાર મહર્ષિ કમેટી ની ભલામણોઉપર પણ નિર્ણય કરી શકે છે. કેન્દ્ર સરકાર એ કહ્યું હતું કે RBI હાલના મોરેટોરિયમ ની મુદ્દત બે વર્ષ સુધી વધારી શકે છે, જો કે આના માટે ભૂતપૂર્વ CAG રાજીવ મહર્ષિના વડપણ હેઠળ એક કમેટીનું નિર્માણ કર્યું છે.
10 સપ્ટેમ્બરના રોજ સરકાર અને RBI વતી અરજી કરતી વખતે તુષાર મહેતા એ કોર્ટમાં કહ્યું હતું કે તેઓ વ્યાજની છૂટ આપી શકતા નથી, પરંતુ ચૂકવણીનું દબાણ ઘટાડી શકે છે. તુષાર મહેતા એ કહ્યું હતું કે બેન્કિંગ ક્ષેત્ર એ અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે અને અર્થવ્યવસ્થાને નબળા કરવા અંગે કોઈ નિર્ણય લઈ શકાય નહીં.
જો કે, આ સમય દરમિયાન તેમણે એમ પણ કહ્યું હતું કે અમે માનીએ છીએ કે લોકોને સમસ્યા થઈ રહી છે તેની અમને જાણ છે, દરેક ક્ષેત્રની પરિસ્થિતિ ધ્યાનમાં લેવી જરૂરી છે, પરંતુ બેન્કિંગ ક્ષેત્રે પણ ધ્યાન રાખવું પડશે. તુષાર મહેતાએ કહ્યું હતું કે મોરટોરિયમનો હેતુ એવો નથી કે વ્યાજ માફ કરવામાં આવશે.
ડિફોલ્ટ ખાતાને NPA જાહેર કરવા પર પ્રતિબંધ
લોન મોરટોરિયમની મુદત પૂરી થઈ હોવાથી આવી સ્થિતિમાં, લોકોને બેંકો તરફથી EMI ચૂકવવા માટે SMS , ફોન કોલ્સ અને ઇ-મેઇલ મળવાનું શરૂ થઈ ગયું છે. આને કારણે લોકોને તેમના બેંક લોન ખાતાને નોન પરફોર્મિંગ એસેટ ( NPA ) તરીકે જાહેર થવાનો દર સતાવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જ્યાં સુધી સરકાર કોઈ નક્કર પ્લાન નહીં આપે ત્યાં સુધી 31 ઓગસ્ટ સુધી વચગાળાનો હુકમ લોન ડિફોલ્ટર્સને NPA તરીકે જાહેર કરવાનું ચાલુ રાખશે નહીં.
શું સમસ્યા છે?
હકીકતમાં, લોકડાઉનને કારણે, RBI તે ગ્રાહકોને લોન મોરટોરિયમની સુવિધા આપી હતી, જે ઓછી આવકના કારણે EMI પર સમયસર ચુકવણી કરવામાં અસમર્થ હતા. આ સુવિધા માર્ચથી ઓગસ્ટ સુધી જ રહી હતી. આ તાત્કાલિક રાહત હતી કારણ કે EMI ને ટાળવાનો આ એકમાત્ર વિકલ્પ હતો. પરંતુ ગ્રાહકોને પ્રોબ્લેમ એ છે કે જે સમય દરમિયાન તેમણે આ છૂટનો ઉપયોગ લીધો હતો તે સમય ના EMI ઉપર બેન્કો વ્યાજ વસૂલી રહી છે, અને આ નિર્ણયની સામે સુપ્રીમ કોર્ટ માં અપીલ થઇ છે.