6 નવેમ્બરના રોજ લદ્દાખના ચૂશુલમાં ભારત અને ચીનની સેના વચ્ચે આઠમા રાઉન્ડની વાત થઈ હતી. આમાં બંને દેશો ત્રણ તબક્કાની યોજના પર સહમત થયા હતા. જેમાં પ્રથમ તબક્કામાં, પ્રથમ અઠવાડિયામાં પેંગોંગ લેક વિસ્તાર ખાલી કરાશે. ટેન્કો અને સૈનિકોને પાછા મોકલવામાં આવશે.
ભારત ચીન વિવાદનો થઈ શકે છે નિકાલ
દિવાળી પહેલા આવી શકે છે અંત
આઠમા રાઉન્ડની વાતચીત બાદ બંને દેશીઓ સંમત
પૂર્વી લદ્દાખ માં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ લદ્દાખ બોર્ડર વિવાદ દિવાળી પહેલા ઉકેલી શકાય છે. એક અહેવાલ મુજબ, ભારત અને ચીનમાં, લદ્દાખ ના વિવાદિત સ્થળોએથી સૈન્યને પાછું ખેંચવા અંગેની સમજૂતી થઈ છે. આ અંતર્ગત એપ્રિલ-મે માં બંને દેશોના સૈનિકો તેમની જૂની સ્થિતિમાં પાછા ફરશે.
કોર્પ્સ-કમાન્ડર કક્ષાના ઓફિસરો વચ્ચે થઈ આઠ રાઉન્ડની ચર્ચા
6 નવેમ્બરના રોજ ચૂશુલમાં કોર્પ્સ-કમાન્ડર કક્ષાના ઓફિસરો વચ્ચે આઠમા રાઉન્ડમાં આ અંગે ચર્ચા થઈ હતી. જો કે આ મામલે ભારત સરકાર અથવા ભારતીય સૈન્ય દ્વારા હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. ચીન તરફથી પણ કોઈ નિવેદન આવ્યું નથી.
હકીકતમાં, લદ્દાખ ના ચૂશુલમાં, 6 નવેમ્બરના રોજ, ભારત અને ચીન ની સેના વચ્ચે આઠમા રાઉન્ડની વાત કરવામાં આવી હતી. આમાં બંને દેશો ત્રણ તબક્કાની યોજના પર સહમત થયા હતા. પ્રથમ તબક્કામાં, પ્રથમ અઠવાડિયામાં પેંગોંગ લેક વિસ્તાર ખાલી કરાશે.
ધીરે ધીરે બંને સેનાઓ પાછળ હઠશે
ટેન્કો અને સૈનિકો પાછા મોકલવામાં આવશે. બીજા તબક્કામાં, બંને સૈન્ય પેંગોંગ વિસ્તારથી દરરોજ 30 ટકા તેમના સૈનિકોને દૂર કરશે. આ પ્રક્રિયા ત્રણ દિવસ સુધી ચાલુ રહેશે. આ સમય દરમિયાન, ચીની આર્મી ફિંગર 8 પર પાછી ફરશે ત્યારબાદ ભારતીય સેના તેના ધાન સિંહ થાપા પોસ્ટ પર પરત આવશે.
સાથે જ ત્રીજા તબક્કામાં, ભારત અને ચીનનાં સૈન્ય પેંગોંગ તળાવ વિસ્તારના દક્ષિણ વિસ્તારથી તેમની સેના પાછા ખેંચશે. આ સાથે, તણાવ દરમિયાન કબજે કરવામાં આવેલા ચૂશુલ, રેજાંગ લા પહાડો પણ ખાલી કરાશે. બંને સૈન્ય આ સમગ્ર પ્રક્રિયા પર નજર રાખશે, જેમાં સંમતિ થઈ છે.
બંને દેશો કેમ સંમત થયા?
અહેવાલમાં જણાવ્યા અનુસાર, બંને દેશો દળોને હટાવવા માટે સંમત થયા છે, કારણ કે હાલમાં પૂર્વ લદ્દાખમાં શિખરો ઉપર ભારે હિમવર્ષા થઈ રહી છે. લગભગ 15-16 હજારની ઉંચાઇએ, તાપમાન માઈનસ 45 ડિગ્રી સુધી જાય છે. તેનાથી બંને દેશોના સૈનિકોની સમસ્યાઓ વધી શકે છે.