રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ ગત રોજ આત્મહત્યા કરી લીધી હતી, ત્યારે આ મામલે રાજકોટ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે.
રાજકોટમાં મહેન્દ્ર ફળદુ આપઘાત કેસ
રાજકોટ પોલીસે તપાસનો ધમધમાટ ચાલુ કર્યો
તપાસ માટે રાજકોટ પોલીસ અમદાવાદ પહોંચી
રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ મહેન્દ્ર પટેલના આપધાત કર્યા બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. એક તરફ આ મામલે પોલીસદ્વારા SITની રચના કરાઈ છે. આ દરમિયાન આત્મહત્યા બાદ FSLની ટીમ મહેન્દ્ર પટેલની ઓફિસ પહોંચી તપાસ શરૂ કરી હતી.
તપાસ માટે રાજકોટ પોલીસ અમદાવાદ પહોંચી
જ્યારે આ મામલે વધુ તપાસ અર્થે રાજકોટ પોલીસની એક અમદાવાદ આવી પહોંચી છે. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર પટેલે આત્મહત્યા કરતાં પહેલા એક સ્યૂસાઈડ નોટ લખી હતી. જેમાંથી 5 શખ્સો અમદાવાદના હોવાથી રાજકોટ પોલીસ અમદાવાદમાં ધામા નાંખ્યા છે.
ગઈકાલે મહેન્દ્ર ફળદુએ આત્મહત્યા કરી હતી
ઉલ્લેખનીય છે કે, ગત રોજ રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ અને કડવા પાટીદાર આગેવાન મહેન્દ્ર ફળદુએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આપઘાત કરતા પહેલા તેમણે મીડિયાને પ્રેસનોટ મોકલી હતી. જેમાં આપઘાત પાછળ ઓઝોન ગૃપને જવાબદાર ગણાવ્યું હતું. નોટમાં આત્મહત્યા પાછળ અમિત ચૌહાણ, એમ.એમ. પટેલ, અતુલ મહેતા, જયેશ પટેલ, દીપક પટેલ, પ્રણય પટેલ અને પ્રકાશ પટેલ જવાબદાર હોવાનો ઉલ્લેખ કર્યો છે. મને ખૂજ હેરાન કર્યો છે અને મારા પર ફરિયાદો કરે છે અને ધમકી આપે છે.નોટમાં લખ્યું છે કે, મારી 33 કરોડની મિલકતના દસ્તાવેજો કરી આપતા નથી. IAS અને IPS અધિકારીઓ સાથે ઘરોબો ધરાવે છે તેવું કહીને ધમકી આપી રહ્યા છે. આખરે કંટાળી આર્થિક સંકળામણમાં આવી ગયા હોવાથી મહેન્દ્ર ફળદુએ આપઘાત કરી લેતા એરેરાટી વ્યાપી છે. પાટીદાર સમાજમાં સમગ્ર મામલે રોષની લાગણી સવાઇ છે.