બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Big news in Mahendra Faldu suicide case
ParthB
Last Updated: 09:28 AM, 1 April 2022
ADVERTISEMENT
ઓઝોન ગ્રુપના ત્રણ બિલ્ડરોની આઠ કલાક સુધી ચાલી પૂછપરછ
રાજકોટના અગ્રણી વકીલ મહેન્દ્ર ફળદુ આપઘાત કેસમાં પોલીસ દ્વારા કરાઇ પૂછપરછ. અમદાવાદના ઓઝોન ગ્રુપના ત્રણ બિલ્ડરોની પોલીસે કરી પૂછપરછ. ત્રણેય બિલ્ડરોએ મહેન્દ્ર ફળદુના સીધા સંપર્કમાં ન હોવાનો બચાવ કર્યો હતો. જયેશ પટેલ, પ્રણય પટેલ, દિપક પટેલની પોલીસે પૂછપરછ કરી. પોલીસે આઠ કલાક સુધી પૂછપરછ ચાલી હતી.
ADVERTISEMENT
આરોપીઓની 15 એપ્રિલ સુધી ઘરપકડ ન કરવા હાઇકોર્ટ આદેશ આપ્યા છે
રાજકોટના અગ્રણી વકીલ મહેન્દ્ર ફળદુ આપઘાત કેસમાં પોલીસે અમદાવાદના ઓઝોન ગૃપના ત્રણ ડાયરેકટરો જયેશ કાન્તીલાલ પટેલ, પ્રણય કાન્તીલાલ પટેલ અને દીપક મણીલાલ પટેલની આઠ કલાક સુધી પુછપરછ કરી નિવેદનો નોંધ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આરોપીઓની 15 એપ્રિલ સુધી ધરપકડ ન કરવા હાઇકોર્ટે આદેશ આપ્યા છે.
સ્યુસાઈડ નોટ ઓઝોન ગૃપના ત્રણેય બિલ્ડરોનો ઉલ્લેખ કરાયો હતો.
મહત્વનું છે કે, આપઘાત પહેલા મહેન્દ્ર ફળદુએ એક સ્યુસાઈડ નોટ લખી હતી જેમાં અમદાવાદના બાવળા તાલુકાના બલદાણા ગામે ઓઝોન તસ્કની પ્રોજેકટમાં પોતે અને સગાસંબંધીઓએ રોકેલા 33 કરોડ ફસાઈ જતા આત્મહત્યા કરી રહ્યાનું લખ્યું હતું. આ માટે રાજકોટના બિલ્ડરો એમ.એમ.પટેલ, અમિત ચૌહાણ, અમદાવાદના અતુલ મહેતા અને ઓઝોન ગૃપના જયેશ પટેલ, પ્રકાશ પટેલ, પ્રણય પટેલ અને દીપક પટેલ જવાબદાર હોવાનું લખ્યું હતું.
ત્રણેય બિલ્ડરોએ મહેન્દ્ર ફળદુ સાથે સીધા સંપર્કમાં નહી હોવાનો કર્યો બચાવ
જેના આધારે પોલીસે આ સાતેય આરોપી બિલ્ડરો સામે ગુનો દાખલ કર્યો હતો. જો કે આરોપીઓ હાઈકોર્ટમાં જતા રાહત મળી હતી. આ કેસની તપાસ માટે રચાયેલી સીટ દ્વારા થોડા દિવસો પહેલા જ રાજકોટના બે બિલ્ડરો એમ.એમ.પટેલ, અમિત ચૌહાણ અને અમદાવાદના અતુલ મહેતાની પુછપરછ કરી નિવેદનો નોંધવામાં આવ્યા હતા. જેમાં આ ત્રણેય આરોપી બિલ્ડરોએ મહેન્દ્ર ફળદુએ બુકીંગના તમામ પૈસા અને ડેવલપમેન્ટ ચાર્જ નહી ચુકવતા દસ્તાવેજો નહી થયાનો બચાવ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.