નિકાસ પ્રતિબંધ બાદ કેન્દ્ર સરકારે ઘઉંની ખરીદીની સિઝન 31 મે 2022 સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે.
ઘઉંની નિકાસ પ્રતિબંધ બાદ સરકારનો બીજો મોટો નિર્ણય
ઘઉં ખરીદીની સિઝન 31 મે 2022 સુધી લંબાવી
31 મે 2022 સુધી ખેડૂતો એમએસપી ભાવે ઘઉં વેચી શકશે
ખેડૂતોને ઘઉંના વધારે સારા ભાવ મળી રહે તે હેતુસર કેન્દ્ર સરકારે હવે બીજો મોટો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે ઘઉંની ખરીદીની પ્રક્રિયા 31 મે 2022 સુધી વધારી દીધી છે. કેન્દ્રીય ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા આજે બહાર પાડવામાં આવેલા એક નિવેદનમાં એવુ જણાવાયું છે કે હાલની જીઓ પોલિટિકલ સ્થિતિ અને માર્કેટ પ્રાઈસને કારણે ઘઉંની હાલની ખરીદી પર અસર પડી શકે છે. સ્ટેટમેન્ટમાં એવું પણ કહેવાયું કે ઘઉંની નિકાસ પણ સરકાર દ્વારા રેગ્યુલેટ કરવામાં આવી છે.
To ensure that no wheat farmer faces inconvenience, Modi Sarkar extends wheat procurement season till 31 May 2022. We are committed to ensuring farm prosperity. pic.twitter.com/FfUE2bwuWO
ફૂડ મિનિસ્ટ્રીના નિવેદનમાં એવું પણ કહેવાયું કે ખેડૂતોના હિતમાં અને રાજ્ય સરકારની વિનંતીને માન આપીને મંત્રાલયે નિર્ણય લીધો છે જે હેઠળ તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને એફસીઆઈ ઘઉંની ખરીદી ચાલુ રાખી શકે છે અને ખેડૂતો તેમના ઘઉં રાજ્ય કે એફસીઆઈમાં એમએસપીના ભાવે વેચી શકે છે.
ખેડૂતને અગવડ ન પડે એટલે નિર્ણય લીધો- કેન્દ્રીય મંત્રી ગોયલ
કોમર્સ મિનિસ્ટર પીયૂય ગોયલે કહ્યું કે કોઈ પણ ખેડૂતને અગવડ ન પડે તે નક્કી કરવા માટે મોદી સરકારે ઘઉંની ખરીદીની સિઝન 31 મે 2022 સુધી લંબાવી છે. અમે કૃષિ સમૃદ્ધિ સુનિશ્ચિત કરવા માટે સમર્પિત છીએ.
સરકારે ઘઉંની નિકાસ પર મૂક્યો પ્રતિબંધ
ઉલ્લેખનીય છે સરકારે તાત્કાલિક અસરથી ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે જેને કારણે આગામી દિવસોમાં ઘઉંની કિંમતોમાં ઘટાડો આવશે.
એક સપ્તાહમાં ઘઉંના ભાવ ઘટવા લાગશે
વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય લોકો માટે એક સારા સમાચાર છે. સરકારે ઘઉંના સ્ટોક અને તેના ભાવને લઈને મોટો નિર્ણય લીધો છે. ઘઉંની નિકાસ પર કેન્દ્રના પ્રતિબંધ બાદ એક અઠવાડિયામાં ભારતમાં ઘઉંના ભાવ ઘટવા લાગશે. હાલમાં મણ દીઠ 550-600 રુપિયાના ભાવે ઘઉં વેચાઈ રહ્યાં છે જે આગામી અઠવાડિયમાં ઘટીને 450 રુપિયાની આજુબાજુ આવી શકે છે. કેન્દ્રીય ખાદ્ય સચિવ સુધાંશુ પાંડેએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, એક સપ્તાહમાં ઘઉંના ભાવ ઘટવા લાગશે. ઘઉં સસ્તા થવાથી લોટના ભાવ પણ ઘટશે. સુધાંશુ પાંડેએ એવી પણ માહિતી આપી હતી કે, દેશમાં ઘઉંનો જથ્થો જળવાઈ રહે તે માટે ઘઉંની નિકાસનો આદેશ જારી કરવામાં આવ્યો છે અને કોઈ પણ સંજોગોમાં ઘઉંનો સ્ટોક ઘટશે નહીં.
સસ્તા ઘઉં અને ખાદ્યતેલ
સુધાંશુ પાંડેએ જાણકારી આપી છે કે ખાદ્ય તેલ સસ્તુ થવા લાગ્યું છે. ટૂંક સમયમાં જ ઇન્ડોનેશિયા તેની સમીક્ષા કરશે, ત્યારબાદ તેલની કિંમતમાં વધુ ઘટાડો થશે. વાસ્તવમાં ઇન્ડોનેશિયામાં વિશ્વમાં સૌથી વધુ પામ ઓઇલ છે. પરંતુ આ સમયે ઇન્ડોનેશિયાએ તેલની નિકાસ બંધ કરી દીધી છે. જોકે ઇન્ડોનેશિયા આટલું પામ ઓઇલનો વપરાશ કરવામાં અસમર્થ છે, પરંતુ તે ચોક્કસપણે પામ ઓઇલની નિકાસ કરશે.
ચોખાનો પુરવઠો વધારવામાં આવશે
પીડીએસમાં અનાજની ફાળવણી અંગે સરકારે નવો આદેશ જારી કર્યો છે, જે અંતર્ગત જે વિસ્તારોમાં ઘઉંનો જથ્થો વધારે હતો ત્યાં ચોખાનો પુરવઠો વધારવામાં આવશે, હવે તે બંધ કરવામાં આવશે અને ચોખાનો પુરવઠો વધારવામાં આવશે. આ સાથે સરકાર ઘઉંના સ્ટોકને બેલેન્સ કરવાનો પ્રયાસ કરી રહી છે.