શ્રીલંકામાં રમાનાર એશિયા કપનો કાર્યક્રમ જાહેર થયો છે. 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બરની વચ્ચે રમાનાર એશિયા કપમાં કુલ છ ટીમ ભાગ લેશે.
એશિયા કપના કાર્યક્રમની જાહેરાત
27 ઓગસ્ટથી શ્રીલંકામાં શરુ થશે એશિયા કપ
આ વખતનો એશિયા કપ 20 ઓવરમાં રમાશે
ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી થશે મહામુકાબલો
એશિયા કપમાં છ ટીમ ભાગ લશે
ભારત,બાંગ્લાદેશ,અફઘાનિસ્તાન,શ્રીલંકા,પાકિસ્તાન અને એક ક્વોલિફાયર રમશે
ભારત માટે અત્યંત સફળ રહેલા એશિયા કપનો કાર્યક્રમ જાહેર થયો છે. એશિયા કપનું આયોજન શ્રીલંકામાં 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન થશે. એશિયા કપમાં સૌથી રસપ્રદ વાત તો ભારત અને પાકિસ્તાનના ટકરાવની છે. બન્ને દેશો વચ્ચે એશિયા કપમાં મુકાબલો યોજાશે. આ વખતે આ ટુર્નામેન્ટ ટી-20 ફોર્મેટમાં રમાશે અને તેના માટે ક્વોલિફાયર્સ 20 ઓગસ્ટ, 2022થી રમાશે.
ક્યારથી શરુ થશે એશિયા કપ
શ્રીલંકામાં 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન એશિયા કપની શરુઆત થશે. એશિયા કપમાં કુલ છ ટીમ રમશે. છ ટીમમાં ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને એક ક્વોલિફાયર સામેલ છે.
The 2022 edition of the Asia Cup is set to be held in Sri Lanka between August 27 and September 11
એશિયા કપ 2022માં છ ટીમો હશે, જેમાં ભારત, શ્રીલંકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને એક ક્વોલિફાયર સામેલ છે. ક્વોલિફાયર્સમાં યુએઈ, કુવૈત, સિંગાપોર અને હોંગ કોંગ વચ્ચે મુકાબલો ખેલાશે.એશિયા કપ ક્રિકેટ દર બે વર્ષે કરવામાં આવે છે, તેમ છતાં એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી) દ્વારા કોવિડ -19 રોગચાળાને કારણે 2020 ની આવૃત્તિ રદ કરવામાં આવી હતી. એસીસી જૂન 2021 માં શ્રીલંકામાં ટૂર્નામેન્ટનું આયોજન કરવા માંગતી હતી, પરંતુ રોગચાળાએ આયોજકોની યોજનાઓ પર પાણી ફેરવી દીધું હતું.
ટીમ ઈન્ડિયા એશિયા કપ ઈતિહાસની સૌથી સફળ ટીમ
ટીમ ઈન્ડિયા એશિયા કપ ઈતિહાસની સૌથી સફળ ટીમ છે. આ ટુર્નામેન્ટ સૌપ્રથમ વખત 1984માં યોજાઈ હતી, ત્યાર બાદ ભારત સાત વખત ટાઈટલ જીતી ચૂક્યું છે. ભારતીય ટીમ 1984, 1988, 1990-91, 1995, 2010, 2016 અને 2018માં ચેમ્પિયન રહી ચૂકી છે.
પાંચ ટાઇટલ જીતવાની સાથે શ્રીલંકા બીજા ક્રમે
શ્રીલંકા પાંચ ટાઇટલ જીતવાની સાથે બીજા ક્રમે છે. શ્રીલંકાએ 1986, 1997, 2004, 2008 અને 2014માં આ ખિતાબ જીત્યો હતો. એશિયા કપના ઇતિહાસમાં શ્રીલંકાએ સૌથી વધુ 14 વખત ભાગ લીધો છે. તે પછી ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશનો નંબર આવે છે જેઓ 13 વખત ટૂર્નામેન્ટ રમી ચૂક્યા છે.
જય શાહનો કાર્યકાળ લંબાયો
આ દરમિયાન બીસીસીઆઈના સચિવ જય શાહનો એશિયન ક્રિકેટ કાઉન્સિલના અધ્યક્ષ તરીકેનો કાર્યકાળ સર્વાનુમતે (એક વર્ષ) વધારવામાં આવ્યો છે. ઓમાન ક્રિકેટ બોર્ડના પંકજ ખીમજીને એસીસીના વાઈસ પ્રેસિડેન્ટ તરીકે અને મલેશિયા ક્રિકેટ એસોસિએશનના મહિન્દા વલ્લીપુરમની વિકાસ સમિતિના ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. શનિવારે કોલંબોમાં એસીસીની એજીએમમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.