સુરતમાં આગામી દિવસોમાં વધુ પાંચ જેટલી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવનાર છે જેને ઉદ્યાગપતિની અને સુરતીઓમાં ખુશી જોવા મળી રહી છે
સુરત શહેરને વધુ 5 ફલાઇટ મળશે
16 અને 17 જૂલાઈથી શરૂ કરવામાં આવશે ફલાઇટ
સુરતથી જયપુરની ડેઇલી ફલાઇટ શરૂ થશે
સુરતી લાલાઓ માટે સારા સચાચાર સામે આવ્યા છે સુરત શહેર હીરા અને કાપડ ઉદ્યાગોનું હમ ગણાય છે ત્યારે સુરતમાં રહેતા ઉદ્યાગપતિએ અને ઉદ્યાોગને લઈ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સુરત શહેરને વધુ 5 ફલાઇટ મળશે
કોરોના કાળમાં ઉદ્યાોગ ધંધા પર માઠી અસર થઈ હતો તેમજ ફ્લાઈટ સેવામાં પણ તેની અસર જોવા મળી હતી. હવે જ્યારે કોરોના સંક્રમણ ઓછું થયું છે ત્યારે સુરતમાં વધુ ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવશે.
સુરતથી જયપુરની ડેઇલી ફલાઇટ શરૂ થશે
સુરતમાં આગામી દિવસોમાં વધુ પાંચ જેટલી ફ્લાઈટ સેવા શરૂ કરવામાં આવનાર છે જેને ઉદ્યાગપતિની અને સુરતીઓમાં ખુશી જોવા મળી રહી છે આ ફ્લાઈટ સેવા 16 અને 17 જૂલાઈ બાદ શરૂ કરવામાં આવનાર છે
હીરા અને કાપડ વેપારને મળી શકે છે વેગ
રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ ઘટી રહ્યા છે તો હવે ધીમે ધીમે જન જીવન થાડે પડી રહ્યું છે ત્યારે સુરતમાં ઉદ્યોગ ધંધને વેગવાન બનાવવા માટે સ્પાઈજેટ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો
છે મહત્વનું છે કે સુરતમાં હીરા ઉદ્યાર અને કાપડ ઉદ્યોગનું મોટ હબ ગણવામાં આવે છે જેથી સ્પાઈસ જેટ હવે વધુ પાંચ ફ્લાઈટ સેવા શરૂ કરશે.
સ્પાઇસ જેટ દ્વારા લેવામાં આવ્યો નિર્ણય
ફ્લાઈસ જેટની આ સેવા સુરતથી જયપુરની ડેઈલી ફ્લાઈટ શરૂ થશે તેની સાથે પુણે, હૈદરાબાદ, બેંગ્લુરુ, અને જબલપુરની ફ્લાઈટ સેવા પણ શરૂ કરાશે, સુરતમાં ફ્લાઈટ સેવામાં વધારો કરાતા સુરતવાસીઓમાં ખુશી જોવા મળી રહી છે.