રાજકોટ મહાનગ પાલિકાની સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રાજકોટવાસીઓને પ્રોપર્ટી ટેક્સમાં એક વર્ષની રાહત આપવામાં આવી છે.
રાજકોટવાસીઓને પ્રોપર્ટી ટેક્સમાં રાહત
એક વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવામાં આવ્યો
મલ્ટીપ્લેક્સ, જિમનેશિયમના પ્રોપર્ટી ટેક્સમાં રાહત
7.5 કરોડના ખર્ચે નંખાશે પાણીની પાઈપલાઈન
RMCની સ્ટેન્ડિંગ કમિટીનો મહત્વનો નિર્ણય
રાજકોટમાં રાત્રિ કર્ફ્યુ હોવાથી લાંબો સમય વેપાર ધંધા પર પાબંધીના કારણે વેપારીઓને પારાવાર આર્થિક નુક્શાની સહન કરવી પડી રહી છે. તેની વચ્ચે રાજકોટ મહાનગર પાલિકાએ રાજકોટવાસીઓને પ્રોપર્ટી ટેક્સમાં આપી રાહત આપવાનો નિર્ણય લીધો છે. રાજકોટ મહાનગર પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીનો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કે, ચાલુ વર્ષે એક વર્ષનો પ્રોપર્ટી ટેક્સ માફ કરવામાં આવ્યો.
મનપાએ 3 કરોડનો વેરો માફ કર્યો
આ સાથે મનપા દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું કે, જેમણે વેરો ભર્યો હશે તેમને પરત આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, મનપાને રાજ્ય સરકારે વેરા માફીની ગ્રાન્ટ ફાળવી હતી. જેને લઈને 3 કરોડનો વેરો માફ કર્યો છે. આમ રાજકોટ મહાનગર પાલિકાના સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લેવાયેલા મહત્વના નિર્ણયના કારણે હોટેલ, રિસોર્ટસ, વોટર પાર્ક, મલ્ટિપ્લેક્સ, જિમ્નેશિયલના સંચાલકોને પ્રોપર્ટી ટેક્સમાં રાહત
રૂ.7.5 કરોડના ખર્ચે પાણીની પાઇલપાઇન નંખાશે
આ સાથે રાજકોટ શહેરમાં પીવાના પાણીની સમસ્યાને ઉકેલવા માટે રૂા.7.5 કરોડના ખર્ચે DI પાઈપલાઈનનું નેટવર્ક ઉભુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને લઈને રાજકોટવાસીઓનો પીવાના પાણીની પાઇપલાઇનથી પાણીનો પ્રશ્ન હલ થશે.