દેશમાં કોરોના રસીના બૂસ્ટર અંગેની નીતિ ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.કોવિડ ટાસ્ક ફોર્સના મુખ્ય સભ્ય ડૉ. એનકે અરોરાએ જણાવ્યું હતું કે, આ પોલિસી આગામી 10 દિવસમાં આવી શકે છે.
દેશમાં બુસ્ટર ડોઝને લઇને પોલિસી થશે જાહેર
10 દિવસમાં બુસ્ટર ડોઝ માટે આવી શકે છે પોલિસી
કેટેગરી પ્રમાણે લોકોને અપાશે બુસ્ટર ડોઝ
ગાઈડલાઈન પહેલા બુસ્ટર ડોઝ ન લેવા નિષ્ણાંતોની અપીલ
નિષ્ણાંતોની સૂચના પોતાની મરજીથી બૂસ્ટર ડોઝ ન લેવું
ડો. અરોરાએ લોકોને તેમની પોતાની મરજીથી બૂસ્ટર ડોઝ ન લેવાની સૂચના પણ આપી છે, કારણ કે કોવિન પર રેકોર્ડ તેને રેકોર્ડ રાખવામાં આવશે નહીં અને તેનું કોઈ પ્રમાણપત્ર આપવામાં આવશે નહીં. અરોરાએ આ સલાહ એટલા માટે આપી છે કારણ કે એવા અહેવાલો છે કે ઘણા લોકો ચૂપચાપ ત્રીજો ડોઝ લઈ રહ્યા છે. અરોરાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં સીરોપોઝિટીવ અભ્યાસ મુજબ, રસીકરણ અત્યાર સુધી અસરકારક રહ્યું છે અને એવું કોઈ કારણ સામે આવ્યું નથી કે લોકોએ ચૂપચાપ રસીકરણ માટે દોડવું જોઈએ.
દેશમાં કોરોનાની સ્થિતી બીજા દેશો કરતાં ધણી સારી
ડો. અરોરાના જણાવ્યા અનુસાર, દેશમાં કોરોનાના કેસ પણ ઘટી રહ્યા છે, તેથી ચિંતા કરવાની કોઈ વાત નથી. અમે બીજા ઘણા દેશો કરતા સારી સ્થિતિમાં છીએ. અરોરાનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે તેલંગાણાના આરોગ્ય અધિકારીઓ સહિત ઘણા અધિકારીઓ ત્રીજા ડોઝની જાહેરાત કરી રહ્યા છે. તેઓ કહે છે કે નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ ત્રીજો ડોઝ લેવો જોઈએ.
દેશમાં રસીની કોઈ અછત નથી
ડો. અરોરાના જણાવ્યા અનુસાર, 85% લોકોએ ઓછામાં ઓછો પ્રથમ ડોઝ લીધો છે.સીરોપોઝિટિવ અભ્યાસ મુજબ, રસીકરણની હકારાત્મક અસર થઈ છે.દિલ્હીમાં 97% વસ્તી સીરોપોઝિટિવ છે. યુપીમાં 88%, તેલંગાણામાં 85% વસ્તી સીરોપોઝિટિવ છે. અરોરા કહે છે કે દેશમાં રસીની કોઈ અછત નથી. દર મહિને 30-35 કરોડ ડોઝ તૈયાર કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમને કોઈપણ કારણ વગર ડોઝ મળે છે.
બૂસ્ટર ડોઝ લેવો વધુ સારું રહેશે.
કોવેક્સિન બનાવતી કંપની ભારત બાયોટેકના એમડી ડૉ. ક્રિષ્ના ઈલાએ કહ્યું છે કે બીજો ડોઝ લીધાના 6 મહિના પછી બૂસ્ટર ડોઝ લેવો યોગ્ય રહેશે. જો કે આ અંગે અંતિમ નિર્ણય સરકારે લેવાનો છે. તમને જણાવી દઈએ કે અમેરિકા સહિત ઘણા દેશોએ કોરોના વેક્સીનનો બૂસ્ટર (ત્રીજો ડોઝ) આપવાનું શરૂ કરી દીધું છે, પરંતુ ભારતમાં હજુ સુધી તેની શરૂઆત થઈ નથી.
12 કરોડ લોકોનો બીજો ડોઝ ઓવરડ્યુ
દેશમાં 12 કરોડ લોકો એવા છે જેમણે નિર્ધારિત સમયપત્રક પર કોરોના રસીનો બીજો ડોઝ લીધો નથી. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ જાણકારી આપી છે. તેમણે રાજ્યોને અપીલ કરી છે કે બધાએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ જેથી કોઈ પણ વ્યક્તિ રસી વગર ના રહે. અગાઉ 20 ઓક્ટોબરે નીતિ આયોગના સભ્ય વીકે પોલે જણાવ્યું હતું કે સમયસર બીજી ડોઝ ન લેતા લોકોની સંખ્યા 100 મિલિયન છે. એટલે કે એક મહિનાથી ઓછા સમયમાં આ આંકડો 2 કરોડ વધી ગયો છે.