કાશ્મિરી પંડીતો માટે સરકાર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમો સરકાર દ્વારા તેમના માટે શ્રીનગરમાં એક વેબસાઈટ તૈયાર કરવામાં આવી છે. જે વેબસાઈટ થકી તેઓ ડાયરેક્ટ ફરિયાદ દાખલ કરી શકશે.
કાશ્મીરી પંડિતો માટે મોટા સમાચાર
શ્રીનગરમાં કાશ્મીરી પંડિતો માટે વેબસાઈટ લોન્ચ કરાઈ
ઓનલાઈન પોર્ટલથી હવે પંડિતો ફરિયાદ દાખલ કરી શકશે
કાશ્મીરી પંડિતો માટે આજે શ્રીનગરમાં એક વેબસાઈટ લોન્ચ કરવામાં આવી છે. આ ઓનલાઈન પોર્ટલ દ્વારા હવે ફરિયાદ દાખલ થઈ શકશે. જો તેના પર કોઈ પણ વ્યક્તિ આવેદન કરશે તો તેનું યુનિક આઈડી જનરેટ થશે. બાદમાં તે આવેદન યોગ્ય કાર્યવાહીને લઈને ડાયરેક્ટ જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે પહોચી જશે.
ઓનલાઈન પંજીકરણની વ્યવસ્થા
આપને જણાવી દઈએ કે સરકાર કાશ્મીરી વિસ્થાપિતોને સન્માન સાથે ઘરે મોકલવા માટે પ્રતિબદ્ધ છે. થોડાક દિવસો પહેલાજ ઉપ રાજ્યપાલે અમુક પરિવારોના પંજીકરણને લઈને જરૂરી નિર્દેશ પણ આપ્યા હતા. જેથી જમ્મુ સહિત ભારત અને વિદેશોમાં રહેતા કાશ્મિરી વિસ્થાપિતોની રાહત માટે હવે ઓનલાઈન પંજીકરણની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે.
આવાસ યોજનામાં 6 હજાર ઘરોનું નિર્માણ
કાશ્મીર ઘાટીના વિવિધ વિસ્તારોમાં કાશ્મીરી વિસ્થાપિત કર્મચારીઓ માટે 6 હજાર આવાસ ઘરો બનાવામાં આવી રહ્યા છે. જે મામલે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ એવું કહ્યું કે આવાસ યોજનાના નિર્માણ બાદ જો તેનો કોઈ પણ દૂરઉપયોગ કરશે તે જરા પણ સહન કરવામાં નહી આવે.
મતદારોને જોડવાની પ્રક્રિયા તેજીમાં
ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભા ચૂંટણીને લઈને કાશ્મીરી વિસ્થાપિતોની ભૂમિકા મતદાન માટે મોટી રહેશે. જેને લઈને મતદારોને હવે જોડવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. જેમા કાશ્મીરના વિભિન્ન જિલ્લાઓમાં વિસ્થાપિત લોકોની મતદાન યાદી બનાવામાં આવી રહી છે. ખાસ કરીને તેમના વોટર કાર્ડ પણ બનાવામાં આવી રહ્યા છે.