કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પા રાજીનામુ આપશે તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે.
રાજીનામા વીશે યેદીયુરપ્પાનું મહત્વનું નિવેદન
રાજીનામાની વાતને અફવા ગણાવી
યેદીયુરપ્પા સામે લાગ્યા છે ભ્રષ્ટાચારના આરોપ
કર્ણાટકમાં છેલ્લા ઘણા સમયથી ભાજપના નેતાઓ વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે. ગઈકાલે કર્ણાટકના મુખ્યમંત્રી યેદીયુરપ્પાએ વડાપ્રધાન સાથે મુલાકાત લીધી હતી. ત્યારબાદ એવી માહિતી સામે આવી કે તેઓ રાજીનામુ આપવાના છે. પરંતુ આ સમગ્ર મામલે હવે યેદીયુરપ્પા દ્વારા ચુપ્પી તોડવામાં આવી છે. તેમણે રાજીનામાની વાતને અફવા ગણાવી છે.
વડાપ્રધાન સાથે મુલાકાત
રાજીનામાની વાત વીશે યેદીયુરપ્પાએ મીડિયા સમક્ષ એવુ કહ્યું કે આ બધીજ અફવાઓ છે. કર્ણાટકના નેતૃત્વમાં મોટા ફેરફાર આવશે તેવી સ્થિતી વચ્ચે યેદીયુરપ્પાએ વડાપ્રધાન સાથે મુલાકાત લીધી સાથેજ તેમણે રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સાથે પણ મુલાકાત કરી હતી.
જોકે યેદીયુરપ્પાને જ્યારે રાજીનામાને લઈને સવાલો કરવામાં આવ્યા ત્યારે તે સવાલોને ટાળતા તેમણે એવો જવાબ આપ્યો કે "હુ કશુંજ નથી જાણતો "તમને ખ્યાલ હોય બધું તો તમે મને જણાવી શકો છો.
ભ્રષ્ટાચારના આરોપો
ઉલ્લેખનીય છે કે કર્ણાટકના અમુક નેતાઓ પર તેમજ મુખ્યમંત્રી યેદીયુરપ્પા સામે ભ્રષ્ટાચારના આરોપો લાગેલા છે. જેના કારણે ભાજપ સામે ઘણા સવાલો ઉઠ્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા બદાજ નેતાઓને ચેતવણી આપવામાં આવી છે. તેમ છતા કર્ણાટક સરકારમાં અંદરોઅંદર વીખવાદો વધી રહ્યા છે.