ગુજરાતમાં કોરોનાનું સંક્રમણમાં દિવસેને દિવસે ઘટાડો નોંધાઈ રહ્યો છે, ત્યારે ભૂપેન્દ્ર પટેલ સરકારે રાત્રી કર્ફ્યૂને મહત્વની જાહેરાત કરી છે.
રાજ્યમાં રાત્રી કર્ફ્યૂને લઇને મહત્વનો નિર્ણય
8 મનપામાં રાત્રી કર્ફ્યૂ રહેશે યથાવત
10 નવેમ્બર સુધી પ્રતિબંધો લાગુ રહેશે
કોરોના સંક્રમણને લઇ લેવાયો નિર્ણય
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે યોજાયેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યના 8 મનપા વિસ્તારોમાં રાત્રી કર્ફ્યૂને લઈને પણ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
10 નવેમ્બર સુધી લંબાવાયો રાત્રી કર્ફ્યૂ
8 મનપા વિસ્તારમાં રાત્રી કર્ફ્યૂનો સમયગાળો લંબાવીને આગામી 10 નવેમ્બર સુધી કરવામાં આવ્યો છે. રાતનાં 12 વાગ્યાથી સવારનાં 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યૂ લાગુ પડશે. રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયા બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કેસ વધી રહ્યા છે.
ગઈકાલે 20 કેસ નોંધાયા
ગુરૂવારે ગુજરાતમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા હતા, આ દરમિયાન એક દર્દીનું મૃત્યુ થયુ છે. રાજ્યમાં 22 દર્દીઓ સાજા થયા છે. આ સાથે રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 8 લાખ 26 હજાર 80 થઈ ગઈ છે, તો કોરોનાને લીધે અત્યાર સુધી 10 હજાર 85 લોકોના મૃત્યુ થયા છે. કોરોનાની સારવાર બાદ રાજ્યમાં અત્યાર સુધી 8 લાખ 15 હજાર 816 લોકો સાજા થયા છે.
દક્ષિણ ગુજરાતમાં બિલ્લી પગે વધી રહ્યો છે કોરોના
ગુરૂવારે ગુજરાતમાં નવસારીમાં 4 દર્દીઓ નોંધાયા છે.તો સુરત શહેરમાં 4 અને ગ્રામ્યમાં 3 કેસ સામે આવ્યા છે. અમદાવાદ શહેરમાં 3 કેસ નોંધાયા છે. વલસાડમાં નવા ત્રણ કેસ સામે આવ્યા છે. ખેડા જિલ્લામાં પણ નવા બે કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં એક નવો કેસ સામે આવ્યો છે. વલસાડ જિલ્લામાં એક દર્દીનું મૃત્યુ પણ થયું છે.
ધ્યાન રાખજો, દિવાળી બગડશે
દક્ષિણ ગુજરાતમાં બિલ્લી પગે આવી રહેલા કોરોના સંક્રમણથી સ્થાનિક વહીવટી તંત્ર સજાગ થયું છે.આટલી જ સજાગતા નવરાત્રી દરમિયાન ખેલૈયાઓએ દાખવવી પડશે.જો જરા સરખી પણ ચૂક થશે તો ભલે, નવરાત્રી વીતી જશે,પણ દીપાવલીના સપરમાં દિવસોમાં કઈ પણ થવું શક્ય છે.
કન્ટેન્ટમેંટ ઝોનની સ્થિતિ
સુરતમાં હાલ 69 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર થયા છે ત્યારે કાલથી દિવસ પછી શરુ થતા નવરાત્રી તહેવારને લઈને કોરોનાના વધતા કેસો મહાનગર પાલિકા માટે પડકાર ઉભો થયો છે.જન્માષ્ટમી, ગણેશ ઉત્સવ અને હવે સૌથી લાંબો ચાલનાર તહેવાર નવરાત્રિ આવી રહી છે. નવરાત્રિ દરમિયાન લોકો મોટી સંખ્યામાં એકત્રિત થતા હોય છે. શેરી મહોલ્લાની અંદર નવરાત્રિની ઉજવણીની છૂટ આપવાની સાથે જ માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનની સંખ્યામાં ધરખમ વધારો થતો જોવા મળી રહ્યો છે. સુરત કોર્પોરેશન દ્વારા 69 માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરાયા છે. એક અંદાજ મુજબ 6426 લોકો માઈક્રો કન્ટેન્ટ ઝોન હેઠળ સમાવિષ્ઠ છે.