IPLની 13મી સિઝન પતી ગઇ છે અને મુંબઇ ઇન્ડિયન્સે દિલ્હીને હરાવીને ખિતાબને પોતાના નામે કરી લીધો છે. સાથે જ BCCIએ ટૂર્નામેન્ટની આગળની સિઝનની તૈયારી કરી લીધી છે. સૂત્રો અનુસાર બોર્ડ આવતા વર્ષે ટૂર્નામેન્ટથી પહેલા નીલામી આયોજીત કરી શકે છે.
અમદાવાદની ટીમ હોઇ શકે IPLનો હિસ્સો
બીસીસીઆઇના અધ્યક્ષે નથી કરી સ્પષ્ટતા
રિપોર્ટ અનુસાર પહેલાથી જ બીસીસીઆઇના અધિકારીઓ ફ્રેન્ચાઇઝીના સંપર્કમાં છે. મળતી માહિતી અનુસાર એક મોટી નીલામીની યોજના બનાવવામાં આવી રહી છે, કારણકે આગલી સિઝનમાં એક નવી ટીમની એન્ટ્રી થઇ રહી છે, 14મી સિઝનમાં 8ની જગ્યાએ 9 ટીમ હશે.
કહેવામાં આવી રહ્યું છે કે કોરોના વાયરસના કારણે આવેલ નાણાકીય નુકસાનને સરભર કરવા માટે 9મી ટીમ લેવામાં આવશે. આ ટીમ અમદાવાદથી જોડાયેલી હશે પરંતુ બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ 2021 આઅપીએલને લઇને કોઇ સ્પષ્ટતા નથી કરી.
આઇપીએલ 2020નો ફાઇનલ મુકાબલો ખુબ જ શાનદાર રહ્યો હતો. મુંબઇએ દિલ્હીને 5 વિકેટથી હરાવીને પાંચમી વાર ટ્રોફી પોતાને નામ કરી દીધી હતી. મુંબઇએ 157 રનના લક્ષ્યને આસાનીથી હાસિલ કરી લીધુ હતુ.