આ વખતે ગુજરાતમાં વિધાન ચૂંટણી વહેલી યોજાશે તેવા સંકેત મળી રહ્યા હતા પરતું હવે વહેતી થયેલી અટકળો પર રોક લાગી ગઈ છે
મુખ્યમંત્રી વિજય રૂપાણી આપ્યું નિવેદન
વિધાનસભાની ચૂંટણી વહેલા નહીં યોજાઈ
ચૂંટણી વહેલા યોજાશે તેવી અટકળોનો અંત
આ વખતે ગુજરાતમાં વિધાન ચૂંટણી વહેલી યોજાશે તેવા સંકેત મળી રહ્યા હતા પરતું હવે વહેતી થયેલી અટકળો પર રોક લાગી ગઈ છે, ગુજરાતમાં આગામી સમયમાં 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે અનેક અટકળો વહેતી થઈ હતી.
મુખ્યમંત્રી વિજય રૂપાણી આપ્યું નિવેદન
આ વખતે ચૂંટણી વહેલી યોજાઈ તેવા સંકેતો પણ મળ્યા હતા પરતું આજે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ રહી છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક જાહેર સંબોધનમાં જણાવ્યું કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી વહેલી યોજાશે નહીં બલકે ચૂંટણી રાબેતા મુજબ જ યોગ્ય સમયે જ યોજાશે.
વિધાનસભાની ચૂંટણી વહેલા નહીં યોજાઈ
મહત્વનું છે કે ગુજરાતમાં આગામી સયમમાં વિધાનસભાની ચૂંટણીને લઈ અનેક રાજકીય પક્ષ સક્રિય થતા છે જેમાં આમ આદમી પાર્ટીના સંયોનજ અને દિલ્હીના મુખ્મંત્રી અરવિંદ કેજરીવાલની પાર્ટી પણ આ વખતે ગુજરાતની રાજનીતિમાં નવા જુની કરવાની એંધાણ આપી ચુકી છે અને તમામ વિધાનસભાની બેઠકો પર ઉમેદવારો ઉતારવાની જાહેરાત કરી ચુકી છે.
કોંગ્રેસ પક્ષે પણ તડામાર તૈયારીઓ આરંભી
બીજી તરફ અસુદ્દીન ઔવેસી તેમજ અન્ય પક્ષ પણ ગુજરાતી રાજનીતિમાં પ્રવેશતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે તો બીજી તરફ કોંગ્રેસ પક્ષે પણ તડામાર તૈયારીઓ આરંભી છે. પરતું હવે મુખ્યમંત્રી રૂપાણીને પોતાના નિવેદનમાં સ્પષ્ટ સંકેત આપી દીધા છે કે વિધાનસભાની ચૂંટણીઓ રાબેતા મુજબ જ યોજાશે. જેને લઈ આ વખતે રાજ્યમાં ચૂંટણી વહેલી યોજાશે તેવી અટકળોનો અંતે આવી ગયો છે