સરકારી ભરતીના ઉમેદવારો માટે મહત્વના સમચાર સામે આવ્યા છે. લાંબા સમયથી નિમણૂંક પત્રોની રાહ જોઈ રહેલા વિવિધ 12 કેડરના ઉમેદવારોને આગામી 29 ઓક્ટોબરના રોજ નિમણૂંક પત્રો આપવામાં આવશે.
સરકારી ભરતીના ઉમેદવારો માટે મહત્વના સમાચાર
વિવિધ 12 કેડરના ઉમેદવારોને અપાશે નિમણૂંક પત્રો
29 ઓક્ટોબરે ઉમેદવારોને અપાશે નિમણૂંક પત્રો
લાંબા સમયથી વિવિધ 12 કેડરના ઉમેદવારો નિમણૂંક પત્રોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તેમની આતુરતાનો હવે અંત આવ્યો છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે મુજબ હવે નિમણૂંક પત્રોની રાહ જોઈ રહેલા ઉમેદવારોને 29 ઓક્ટોબરના રોજ સવારે 11 કલાકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદહસ્તે નિમણૂંક પત્રો આપવામાં આવશે. આ દરમિયાન પંચાયત મંત્રી બ્રિજેશ મેરજા પણ હાજર રહેશે.
CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે અપાશે નિમણૂંક પત્રો
પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિકાસ હસ્તકના ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા પંચાયત સેવા, વર્ગ - 3ની જુદા-જુદા સંવર્ગોની નિયત ભરતી પ્રક્રિયાથી નિમણૂંક મેળવનાર ઉમેદવારોને આગામી 29 ઓક્ટોબરના રોજ આપવામાં આવશે. ભરતી પ્રક્રિયાથી નિમણૂંક મેળવાનારા ઉમેદવારોને સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે નિમણૂંક પત્રો આપવામાં આવશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં હજારો નોકરીઓની જાહેરાત કરશે
દિવાળીનો તહેવાર રોજગારની શોધમાં હોય તેવા યુવાનો માટે ખુશીઓ લઈને આવશે. કારણ કે આ વખતે દિવાળી રોજગારલક્ષી બનવાની છે. એવા અહેવાલ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશભરમાં હજારો નોકરીઓની જાહેરાત કરશે. ખાસ વાત એ છે કે, તેમણે જૂનમાં જ કહ્યું હતું કે આવતા વર્ષે ડિસેમ્બરના અંત સુધીમાં 10 લાખ નોકરીઓનું સર્જન થશે.
PM મોદી 75 હજાર યુવાનોને રોજગારની 'ગિફ્ટ' પણ આપશે
મીડિયા રિપોર્ટ્સ અનુસાર PM 22 ઓક્ટોબરે એટલે કે, દિવાળીના બે દિવસ પહેલા વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યુવાનો સાથે વાતચીત કરશે. આ દરમિયાન તેઓ 75 હજાર યુવાનોને રોજગારની 'ગિફ્ટ' પણ આપશે. વિવિધ મંત્રાલયો અને સરકારી વિભાગોમાં 75 હજાર યુવાનોને નિમણૂક પત્ર આપવામાં આવશે.
નોકરી ક્યાં મળશે ?
આ દરમિયાન સંરક્ષણ મંત્રાલય, રેલ્વે મંત્રાલય, પોસ્ટ વિભાગ, ગૃહ મંત્રાલય, શ્રમ અને રોજગાર મંત્રાલય, CISF, CBI, કસ્ટમ, બેંકિંગ સહિત અન્ય ઘણા ક્ષેત્રોમાં યુવાનોને નોકરીની જાહેરાત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં દેશના અનેક કેન્દ્રીય મંત્રીઓ પણ ભાગ લેશે.