કિસાન સંઘ દ્વારા ખેડૂતોની સમસ્યાને લઈને સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી આ મામલે સરકાર દ્વારા હકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો છે.
વીજળી, સિંચાઇ, જમીનના બોજા સહિતની રજૂઆત કરાઇ
10 દિવસમાં સમસ્યાનો અંત લાવો: કિસાન સંઘ
સરકાર તરફની હકારાત્મક અભિગમ
સરકારની નીતિ-રીતિ સામે નારાજ કિસાન સંઘના આગેવનો દ્વારા ગાંધીનગર ખાતે બેઠક યોજાઇ હતી. આ તકે સરકારના મંત્રીઓ અને અધિકારીઓ સાથે 56 જેટલા પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં જમીન રિ-સર્વે, વીજળી, સિંચાઇ, જમીનના બોજા સહિતની નાની-મોટી બાબતોની રજૂઆત કરવામાં આવી હતી અને 10 દિવસમાં સમસ્યાનો અંત લાવાની દિશામાં કાર્યવાહી કરવા માંગ ઉઠાવવામાં આવી છે.
મંત્રી દ્વારા અધિકારીઓ સાથે રાખી હકારાત્મક રિવ્યૂ અપાયો
કિસાન સંઘ દ્વારા ખેડૂતોના નાના-મોટા અનેક પ્રશ્નો અઠવાડિયા અગાઉ મહેસૂલ મંત્રીને સુપ્રદ કરવામા આવ્યા હતા. આ પ્રશ્નોની છણાવટ અનુસંધાને આજે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં મિટિંગ યોજાઇ હતી. ત્યારબાદ કિસાન સંઘના મહામંત્રી રમેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે, કિસાન સંઘ ગામ, તાલુકા, જિલ્લા, રાજ્ય સમિતિ અને અખિલ ભારતીય સમિતિ છે. આ બેઠકમાં તમામ 56 પ્રશ્નો મૂકવામાં આવ્યા હતા. આ મામલે મંત્રી દ્વારા અધિકારીઓને સાથે રાખીને હકારાત્મક રિવ્યૂ આપવામાં આવ્યા હતા. સરકાર પણ આ સમસ્યાના નિરાકરણ તરફ આગળ વધી રહ્યા છે અને આગામી સમયમાં મહેસુલ મંત્રી એમના લેવલે ઠરાવ મૂકશે. આ ઉપરાંત જ્યારે પણ જરૂર પડે ત્યારે મહેસૂલ મંત્રીએ બેઠક અંગેની તૈયારી દર્શાવી છે.
સિંચાઇ દર સમાન કરવા રજૂઆત કરાઇ
ચર્ચાયેલી વિગત અનુસાર બેઠકમાં રી-સર્વેનો મુદ્દો પણ ગાજ્યો હતો અને એક પણ ખેડૂતને અન્યાય નહી થાય તે અંગે ઉચ્ચકક્ષાએથી બાહેંધરી આપવામાં આવી હતી. એટલું જ નહીં વીજળીની સમસ્યાને પગલે ઉર્જા મંત્રીને પણ રજૂઆત કરવામાં આવી હતી. જેમાં ખેડૂત આગેવાનોના જણાવ્યા અનુસાર નહેર અને બોર એમ બે વિકલ્પ થકી હાલ સિંચાઇ થઈ રહી છે. જે વીજળી અપાય છે એ હોર્શ પાવર અને મીટર આધારિત વીજળી આપવામાં આવે છે જે બંનેમાં મોટો અંતર આવે છે. આ મામલે સિંચાઇ દર સમાન કરવા રજૂઆત કરી વિસંગતતા દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી.
આંદોલનની ચીમકી ઉચ્ચારાઈ
મહત્વનું છે કે, વીજળીના પ્રશ્નોને લઈને ઉર્જા મંત્રીને અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ સરકાર તરફથી આ રજૂઆતને ગણકારમાં આવી નથી. આ તમામ સમસ્યાનું દસ દિવસમાં નિરાકરણ લાવવામાં નહીં આવે તો જગતના તાતને સાથે રાખી આંદોલન કરવામાં આવશે. આથી અમને આંદોલન કરતાં સીએમ અને ઊર્જા મંત્રી રોકે તેવું અંતમાં કિસાન સંઘના મહામંત્રી રમેશ પટેલે નિવેદનમાં જણાવ્યુ હતું.