નોકરી કરતાં લોકોએ આ સમાચાર વાંચી લેવા જોઈએ. ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગે એક નિણર્ય જાહેર કર્યો છે.
નોકરી છોડવા માટે નવો નિયમ
18 % GST ચૂકવવો પડશે
ટેલિફોન બિલ જેવા ચાર્જ વસૂલવાનો પણ અધિકાર
જે કર્મચારીઓ નિર્ધારિત નોટિસ પીરિયડ પૂર્ણ કર્યા વિના વર્તમાન સંસ્થામાં નોકરી છોડી દે છે તેમને 18% GST ચૂકવવો પડશે. ઓથોરિટી ઓફ એડવાન્સ રુલિંગે એક નિર્ણયમાં જણાવ્યું હતું કે એમ્પ્લોયર આવા કર્મચારીઓ પાસેથી પગાર અને અન્ય સુવિધાઓના વળતરની વસૂલાત પર 18% GST વસૂલ કરી શકે છે.
ટેલિફોન બિલ જેવા ચાર્જ વસૂલવાનો પણ અધિકાર
નોટિસના સમયગાળા દરમિયાન કર્મચારીને મળેલા પગાર પર પણ GST ચૂકવવો પડશે. આ સિવાય એમ્પ્લોયરને ગ્રુપ ઈન્સ્યોરન્સ અને ટેલિફોન બિલ જેવા ચાર્જ વસૂલવાનો પણ અધિકાર હશે અને તેના પર GST પણ ચૂકવવો પડશે.
એમ્પ્લોયરની જવાબદારી
ટેક્સ નિષ્ણાતોના મતે, નિયત નોટિસ પીરિયડ પૂરો કર્યા વિના નોકરી છોડી દેનાર કર્મચારી પાસેથી જીએસટી વસૂલવાની અને સરકારના ખાતામાં જમા કરવાની જવાબદારી એમ્પ્લોયરની રહેશે. આ કર તે સમયગાળા દરમિયાન કર્મચારીને મળેલા પગાર સહિત અન્ય તમામ ચૂકવણીઓ પર લાગુ થશે.
આ રીતે નોકરીદાતાઓ પગાર પર GST ચૂકવે છે
ટેક્સ અધિકારીઓનું કહેવું છે કે જો કર્મચારીએ નોટિસનો સમયગાળો પૂરો ન કર્યો હોય તો જ પગાર પરનો જીએસટી વસૂલ કરી શકાય છે. નહિંતર, એમ્પ્લોયરને કર્મચારીના પગાર પર GST ચૂકવવો પડશે. કર્મચારીને ઓફર લેટરમાં નોટિસ પિરિયડનો ઉલ્લેખ કરવામાં આવ્યો