કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.10 અને 12 ની પરીક્ષાને લઈને મોટો નિર્ણય કર્યો છે. જેમાં CBSE બોર્ડ ધો. 10 અને ધો.12 ની પરીક્ષામાં વિદ્યાર્થીને કેટલાક સ્પર્ધાત્મક પ્રશ્ને પણ પૂછવામાં આવશે.
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.10 અને 12 ની પરીક્ષાને લઈને મોટો નિર્ણય
CBSE માં ધો.10 અને 12 ની પરીક્ષામાં સ્પર્ધાત્મક પ્રશ્નો પૂછવામાં આવશે
પરીક્ષામાં મેરિટ પર આધારિત ઘણા પ્રશ્નો પૂછવામાં આવશે
કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.10 અને 12 ની પરીક્ષાને લઈને મોટો નિર્ણય કર્યો છે. જેમાં સીબીએસઈ બોર્ડ ધો. 10 અને ધો.12 ની પરીક્ષામાં વિદ્યાર્થીને કેટલાક સ્પર્ધાત્મક પ્રશ્ને પણ પૂછવામાં આવશે. સીબીએસઈ બોર્ડ પરીક્ષા 2023 માં ભાગ લેવાવાળા તમામ વિદ્યાર્થીઓને પરીક્ષાની પદ્ધતિમાં ફેરફારની જાણકારી હોવી જોઈએ.
પરીક્ષામાં મેરિટ પર આધારિત ઘણા પ્રશ્નો પૂછવામાં આવશે
અલગ-અલગ મીડિયા રીપોર્ટ પ્રમાણે રાજ્ય શિક્ષા મંત્રી અન્નપૂર્ણા દેવીને સંસદમાં પૂછેલા સવાલ પર તેમણે લેખિતમાં જવાબ જણાવ્યું હતું કે નવી શિક્ષા નીતિ 2020 મુજબ બોર્ડની પરીક્ષાનાં સવાલોની પદ્ધતિ બદલવામાં આવી છે. નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે NEP હેઠળ, CBSE એ પણ શાળાઓને શિક્ષણ અને અભ્યાસક્રમની પેટર્ન બદલવાની સલાહ આપી હતી. CBSE બોર્ડની 10મી અને 12મીની પરીક્ષામાં મેરિટ પર આધારિત ઘણા પ્રશ્નો પૂછવામાં આવશે.
ધો.10 માં બોર્ડની પરીક્ષામાં પ્રશ્નોની સંખ્યા 40 ટકા હશે
સીબીએસઈ ધો.10 માં બોર્ડની પરીક્ષામાં યોગ્યતા આધારિત પ્રશ્નો ની સંખ્યા 40 ટકા હશે અને ધો.12 માં 30 ટકા હશે. આ સવાલ એક શબ્દ / 3-4 શબ્દોમાં જવાબ આપવાના છે અથવા બહુવિધ વિકલ્પોમાંથી સાચો પ્રશ્ન પસંદ કરો.આ ઉપરાંત રચનાત્મક પ્રતિભાવ સમય, નિવેદન અને તર્ક આધારિત પ્રશ્નો પૂછવામાં આવશે. કેસ આધારિત પ્રશ્નોમાં, પરિસ્થિતિ સંબંધિત પ્રશ્નો પૂછવામાં આવશે.
NEP હેઠળ શાળાના અભ્યાસક્રમમાં કયા ફેરફારો કરવામાં આવ્યા છે?
નવી શિક્ષણ નીતિ 2020 (રાષ્ટ્રીય શિક્ષણ નીતિ) હેઠળ, શાળા શિક્ષણમાં કેટલાક મોટા ફેરફારો કરવામાં આવ્યા છે - યોગ્યતા આધારિત શિક્ષણ, શીખવાના પરિણામો અપનાવવા, શિક્ષણની પ્રાયોગિક અને મનોરંજક પદ્ધતિઓનો ઉપયોગ (જેમ કે કલાત્મક રીત, રમત-ગમતની શિક્ષણ શાસ્ત્ર, વાર્તા કહેવા, વગેરે), પાયાની સાક્ષરતા અને સંખ્યાતા પર ભાર, માધ્યમિક અને વરિષ્ઠ માધ્યમિક સ્તરે લાયક સલાહકારોની નિમણૂક.