નીતિન ગડકરીએ કર્યું મોટું એલાન, ભારતની કારમાં 6 એરબેગ્સને કરાઇ ફરજિયાત, એક વર્ષ બાદ લાગુ થશે નિયમ
કારચાલકો માટે મોટા સમાચાર
નીતિન ગડકરીએ કર્યું મોટું એલાન
કારમાં 6 એરબેગને કરાઇ ફરજિયાત
એક વર્ષ બાદ લાગુ થશે નિયમ
ભારતના તમામ કારચાલકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યા છે, નીતિન ગડકરીએ કારમાં એરબેગને લઈને ટ્વિટ કરીને મોટું એલાન કર્યું છે. હવેથી યાત્રિક કારમાં છ એરબેગ ફરજિયાત કરી દેવામાં આવી છે.ભારતમાં સડક અકસ્માતની સંખ્યા ખૂબ વધારે છે, હજારો લોકો દર વર્ષે એક્સિડેન્ટના કારણે ભારતમાં જીવ ગુમાવે છે ત્યારે એરબેગને લઈને આ નિયમની ઘણા દિવસથી ચર્ચા હતી અને લાગુ કરવાને લઈને અનેક વાર માંગણીઓ પણ કરવામાં આવી રહી હતી, જે બાદ સરકાર પ્રસ્તાવ લઈને આવી હતી પણ હવે જાહેરાત કરવામાં આવી છે કે એક વર્ષ બાદ આ નવો નિયમ લાગુ કરવામાં આવશે. આ નિર્ણયના કારણે સૌથી વધારે રાહત કાર કંપનીઓને મળશે.
મહત્વનું છે કે, અગાઉ મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, સરકારે આઠ સીટવાળા વાહનોમાં છ એરબેગ્સ ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત બનાવ્યું હતું. આ આદેશ 1 ઓક્ટોબર, 2022થી લાગુ થવાનો હતો. ગડકરીએ ટ્વીટ કર્યું, ઓટો ઉદ્યોગ વૈશ્વિક સપ્લાય ચેઇનમાં વિક્ષેપની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. આને ધ્યાનમાં રાખીને અને મેક્રો ઇકોનોમિક પરિદ્રશ્ય પર તેની અસરને ધ્યાનમાં રાખીને 1 ઓક્ટોબર, 2023 થી પેસેન્જર કારમાં ઓછામાં ઓછા છ એરબેગ્સ ફરજિયાત બનાવવાના પ્રસ્તાવને અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Union Road Transport & Highways Minister Nitin Gadkari announces the implementation of "the proposal mandating a minimum of 6 Airbags in Passenger Cars (M-1 Category) w.e.f 1st October 2023." pic.twitter.com/W6JsIj98bS
મંત્રાલયે કહ્યું હતું કે, વાહન મુસાફરોની સલામતી માટે, કેન્દ્રીય મોટર વાહન નિયમો, 1989 માં સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી વાહનોની સલામતી વધારી શકાય. ટાટા સન્સના ભૂતપૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીનું તાજેતરમાં એક માર્ગ અકસ્માતમાં મોત થયું હતું. તે પછી ખાસ કરીને પાછળની સીટ પર બેઠેલા મુસાફરોની સુરક્ષાને લઈને ચર્ચા ચાલી રહી છે. મિસ્ત્રી મર્સિડીઝ કારની પાછળની સીટ પર બેઠા હતા અને તેમણે સીટ બેલ્ટ બાંધ્યો ન હતો.