રેલ્વે મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી નવી નોટિફિકેશન અનુસાર, હવે રેલ્વેમાં IRMS ની ભરતી UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા દ્વારા કરવામાં આવશે.
UPSC અલગથી IRMS પરીક્ષા નહીં લે
IRMSની નોકરી મેળવવી હોય તો UPSCની પરીક્ષા આપવી જરૂરી
UPSC IRMS માટે કેવી રીતે અરજી કરવી?
ભારતીય રેલવેમાં નોકરી માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મોટા સમાચાર છે. જો તમે ભારતીય રેલવે ભરતીમાં નોકરી મેળવવાનું વિચારી રહ્યા છો, તો તમારા માટે મહત્વપૂર્ણ સમાચાર છે. રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ આ સરકારી નોકરી માટે પરીક્ષા નહીં લે. આ જવાબદારી અગાઉ UPSCને આપવામાં આવી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે UPSC અલગથી IRMS પરીક્ષા લેશે. પરંતુ હવે તેમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. રેલ્વે મંત્રાલયે હવે કહ્યું છે કે UPSC અલગથી IRMS 2023 પરીક્ષા નહીં લે.
IRMSની નોકરી મેળવવી હોય તો UPSCની પરીક્ષા આપવી જરૂરી
રેલ્વે મંત્રાલય દ્વારા જાહેર કરાયેલી નવી નોટિફિકેશન અનુસાર, હવે રેલ્વેમાં IRMS ની ભરતી UPSC સિવિલ સર્વિસીસ પરીક્ષા દ્વારા કરવામાં આવશે. જો તમારે IRMSની નોકરી મેળવવી હોય તો તમારે સિવિલ સર્વિસની પરીક્ષા UPSC આપવી પડશે. તેનું નોટિફિકેશન અને ફોર્મ જાહેર કરાયું છે.
UPSC IRMS માટે કેવી રીતે અરજી કરવી?
જો તમારે IRMS પરીક્ષા આપવી હોય તો તમારે UPSC સિવિલ સર્વિસ પરીક્ષા માટે અરજી કરવી પડશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને UPSC સિવિલ સર્વિસ એક્ઝામ 2023નું નોટિફિકેશન બહાર પાડ્યું છે. અરજીઓ સ્વીકારવાની શરૂઆત કરી દેવામાં આવી છે. આ માટે તમારે પહેલા upsc.gov.in પર જઈને રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
અરજીની પ્રક્રિયા 1લી ફેબ્રુઆરીથી શરૂ થઈ ગઈ છે. અરજી કરવાની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી 2023 છે. પ્રિલિમ પરીક્ષા 28 મે 2023ના રોજ લેવામાં આવશે.
જ્યારે ભારતીય રેલ્વે મંત્રાલયે કહ્યું હતું કે UPSC 2023 થી અલગ IRMS પરીક્ષા લેશે, તો પછી અંતિમ ક્ષણે નિર્ણય કેમ બદલાયો? પરીક્ષા અલગથી કેમ લેવામાં આવતી નથી. તેના બદલે તેને સિવિલ સર્વિસમાં જ ઉમેરવામાં આવ્યું છે? મંત્રાલયે આ સવાલોના કોઈ જવાબ આપ્યા નથી. જો કે, રેલવે મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે આ નિર્ણય એવા અધિકારીઓના દબાણમાં લેવામાં આવ્યો છે જેઓ એન્જિનિયરિંગ બેકગ્રાઉન્ડમાંથી આવતા નથી.