કેન્દ્ર સરકારે દેશના લાખો કારોબારીઓને મોટી રાહત આપતા નાણાકીય વર્ષ 2018-19ના વાર્ષિક GSTR-9 અને સમાધાન વિવરણ GSTR-9C ભરવાની સમય મર્યાદામાં વધારો કર્યો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇન્ડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ્સે જણાવ્યું કે, GST Return ભરવાની 31 ઓક્ટોબર 2020થી વધારીને 31 ડિસેમ્બર 2020 કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે દેશના લાખો કારોબારીઓને મોટી રાહત આપી
ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની તારીખ લંબાવવામાં આવી
ઉલ્લેખનીય છે કે, જીએસટીઆર -9 એ ગુડ્સ અને સર્વિસ ટેક્સ હેઠળ નોંધાયેલા કરદાતાઓ દ્વારા દાખલ કરાયેલ વાર્ષિક રિટર્ન છે, જ્યારે જીએસટીઆર -9 સી જીએસટીઆર -9 અને ઓડિટ કરેલા વાર્ષિક નાણાકીય નિવેદનો વચ્ચે સમાધાનનું નિવેદન છે. નિયમો અનુસાર જીએસટી રિટર્ન ફાઇલ કરવા માટે રૂ. 2 કરોડ સુધીના વાર્ષિક ટર્નઓવરવાળા તમામ ઉદ્યોગપતિઓ માટે ફરજિયાત છે. તે જ સમયે, 5 કરોડ રૂપિયા સુધીના વાર્ષિક વ્યવસાય કરતા વેપારીઓ માટે માહિતીનું નિવેદન રજૂ કરવું જરૂરી છે.
કોરોના મહામારીને ધ્યાને લઇને લેવાયો નિર્ણય
આપને જણાવી દઇએ કે, કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2020માં વાર્ષિક જીએસટી રિટર્ન અને ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની સમયમર્યાદા વધારતા 31 ઓક્ટોબર 2020 કરી હતી. ત્યારબાદ કેટલીક જગ્યાઓ પર કોરોનાના કારણે સ્થિતિ સામાન્ય નહીં થતાં ફરી એકવાર આગામી 2 મહિના સુધઈ વધારવામાં આવી છે. જેનાથી મોટાભાગના વેપારીઓને રાહત મળશે.
Due date for furnishing of Income Tax Returns for taxpayers (including their partners) who are required to get their accounts audited [for whom the due date (i.e. before the extension by new notification) as per Income Tax Act is 31 Oct 2020] is extended to 31 Jan 2021: CBDT
ITR ફાઇલિંગ સમયગાળો વ્યક્તિગત કરદાતાઓ માટે પણ વધારવામાં આવ્યો
આ સિવાય સરકારે વ્યક્તિગત કરદાતાઓને પણ મોટી રાહત આપી છે. નાણાકીય વર્ષ 2019 - 20 માટે સરકારે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદામાં એક મહિનાનો વધારો કર્યો છે. હવે આવકવેરા રીટર્ન ફાઇલ કરવાની નવી તારીખ 31 ડિસેમ્બર 2020 બની ગઈ છે.