દેશભરમાં અત્યારે કોવિડ-૧૯ સામે વેક્સિનેશન અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે એક અભ્યાસે વેક્સિનેશનને લઈ ચિંતા વધારી દીધી છે.
વેક્સિનેશન અભિયાન પુરજોશમાં
કોવેક્સિન લઈ ચૂકેલા લોકોમાં બે મહિના બાદ એન્ટિબોડી ઘટવા લાગે
વેક્સિન લીધા બાદ 21 લોકોને થયું કોરોના સંક્રમણ
હકીકતમાં આઈસીએમઆરના ભુવનેશ્વર સ્થિત રિજનલ મેડિકલ રિસર્ચ સેન્ટર દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં એવી ચોંકાવનારી વાત બહાર આવી છે કે કોવિડ-૧૯ સામે કોવેક્સિન લઈ ચૂકેલા લોકોમાં બે મહિના બાદ એન્ટિબોડી ઘટવા લાગે છે, જ્યારે કોવિશિલ્ડનો ડોઝ લેનારા લોકોમાં ત્રણ મહિના બાદ એન્ટિબોડી ઘટવા લાગે છે.
વેક્સિનેશન અભિયાન પુરજોશમાં
અત્રે ઉલ્લેખનીય છે કે દેશમાં ૧૬ જાન્યુઆરીએ શરૂ થયેલા વેક્સિનેશન અભિયાનમાં આ બે વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.આઈસીએમઆર-આરએમઆરસીના વૈજ્ઞાનિક ડો.દેવદત્ત ભટ્ટાચાર્યએ જણાવ્યું હતું કે તેમણે આ અભ્યાસ માટે ૬૧૪ લોકોનાં સેમ્પલ એકત્ર કર્યાં હતાં. આમાંથી ૩૦૮ લોકોએ એટલે કે ૫૦.૨ ટકા લોકોએ કોવિશિલ્ડ લીધી હતી, જ્યારે ૩૦૬ એટલે કે ૪૯.૮ લોકોએ કોવેક્સિનનો ડોઝ લીધો હતો.
વેક્સિન લીધા બાદ 21 લોકોને થયું કોરોના સંક્રમણ
તેમણે જણાવ્યું હતું કે અમે તેમની અંદર એન્ટિબોડી ડેવલપ થતી જોઈ હતી અને છ મહિના સુધી અમે તેમનું ફોલોઅપ કર્યું હતું. આ ફોલોઅપ દરમિયાન બ્રેકથ્રુ ઈન્ફેક્શન (વેક્સિન લીધા બાદ પણ થયેલું કોરોના સંક્રમણ)ના કુલ ૨૧ કેસ સામે આવ્યા હતા.
૫૩૩ હેલ્થ વર્કર્સમાં એન્ટિબોડી ઘટ્યા
આ અભ્યાસમાં એવું જાણવા મળ્યું હતું કે ૫૩૩ હેલ્થ વર્કર્સમાં એન્ટિબોડીના લેવલમાં ઘણો ઘટાડો જોવા મળ્યો હતો. આ હેલ્થ વર્કર્સમાં વેક્સિનેશન પહેલાં કોઈ સંક્રમણ જોવા મળ્યું ન હતું. ડો. ભટ્ટાચાર્યએ જણાવ્યું કે એિન્ટબોડી કેટલો સમય ટકે છે તેની જાણકારી મેળવવા માટે હવે અમે બે વર્ષ સુધી આ અભ્યાસ ચાલુ રાખવાની યોજના તૈયાર કરી રહ્યા છીએ, જોકે અત્યાર સુધીમાં અમને જાણવા મળ્યું છે કે કોવેક્સિનના ડોઝ લેનારા લોકોમાં એિન્ટબોડીનું સ્તર સંપૂર્ણ વેક્સિનેશનના બે મહિના બાદ જ ઘટવા લાગે છે, જ્યારે કોવિશિલ્ડ લેનારા લોકોમાં ત્રણ મહિના બાદ એિન્ટબોડી ઘટવા લાગે છે.