અમેરિકામાં વેક્સિનના ટ્રાયલને મંજૂરી આપનારી સંસ્થાના સંશોધકો હાલ ચિંતામાં છે, તેઓ બ્રિટનમાં એક વૉલંટિયરના શરીરમાં જોવા મળેલી વેક્સિનની આડ અસરોને લઈને ચિંતામાં છે, ઉલ્લેખનીય છે કે બ્રિટનમાં એક સ્વયંસેવકના શરીરમાં વેક્સિનને લઈને આડઅસરના લક્ષણોને લઈને ટ્રાયલને રોકવામાં આવ્યું હતું, જો કે હવે ત્યા ફરીથી ટ્રાયલ શરૂ થઈ ગયું છે, જ્યારે કે અમેરિકામાં હજુ તેના પર લાગેલી અસ્થાયી રોકને હટાવવામાં આવી નથી.
ઓક્સફોર્ડની રસીના ટ્રાયલ પર અમેરિકામાં લગાવાઈ રોક
બ્રિટન અને ભારતમાં ટ્રાયલ શરૂ થઈ ગયા છે, અમેરિકામાં મંજૂરી બાકી
યુએસમાં આ વેક્સિનના સાઈડ ઇફેક્ટ્સને લઈને સંશોધકો છે ચિંતાગ્રસ્ત
હાલમાં અમેરિકાના સંશોધકો આ ટ્રાયલને લઈને સંશયમાં છે, તેઓ બ્રિટનના અહેવાલોને તપાસી રહ્યા છે, કોરોના વેક્સિનને લઈને જો કે બ્રિટનમાં અને ભારતમાં પણ ટ્રાયલ પર રોક લગાવી દેવામાં આવી હતી, પરંતુ ત્યા ફરીથી તેને શરૂ કરવા માટેની મંજૂરી આપી દેવામાં આવી છે, જો કે અમેરિકામાં આ મામલે હજુ નિર્ણય લેવાયો નથી. આ બાબતને લઈને સુનાવણી હજુ બાકી છે.
બ્રિટનમાં એક સ્વયંસેવકના શરીરમાં જોવા મળી હતી આડઅસરો
બ્રિટનના સ્વયંસેવકની કરોડરજ્જુમાં બળતરા થવાનું શરૂ થયું હતું, વૉલંટિયરની પ્રતિક્રિયા શું છે તે હજી સુધી સ્પષ્ટ થઈ શક્યું નથી. પરંતુ કેટલાક ન્યુરોલોજીસ્ટ માને છે કે દર્દી ટ્રાંસવર્સ માયલિટિસ નામના રોગનો શિકાર હતો. આ ઘટના બાદ, યુ.એસ. માં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન અને સ્વાસ્થ્ય માટે રાષ્ટ્રીય આરોગ્ય સંસ્થાઓ તેમના વતી સ્વતંત્ર તપાસ ચલાવી રહી છે. મંગળવારે FDA કમિશનર સ્ટીફન હેને કહ્યું કે યુ.એસ. માં સુનાવણી હજી મુલતવી છે.
Transverse Myelitis શું છે?
આ રોગમાં દર્દીના શરીરમાં પીડા, નબળાઇ, મૂત્રાશય અને આંતરડાની સમસ્યાઓનું કારણ બની શકે છે, પરંતુ કેટલાક પ્રસંગોએ દર્દી લકવાથી પણ પીડાઈ શકે છે. તે જ સમયે જો અમેરિકન વૈજ્ઞાનિકોની તપાસમાં એવું જોવા મળે છે કે ઓક્સફર્ડ રસીના લીધે દર્દીના શરીરમાં ગંભીર રીઍક્શન જોવા મળે છે તો અમેરિકામાં આ વેક્સિનના ટ્રાયલ પર કયાં માટે કાનૂની રોક લાગી શકે છે.
અમેરિકામાં વર્ષે 1400 લોકો આ રોગનો શિકાર બને છે
નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ઇંફલ્યુએન્ઝા અથવા ઇમ્યુન સિસ્ટમ ડિસઓર્ડર જેવા ઘણા કારણોને લીધે ટ્રાંસવર્સ માયલિટિસ થઈ શકે છે. યુ.એસ. માં દર વર્ષે લગભગ 1400 લોકો તેનો શિકાર બને છે. તે જ સમયે, એસ્ટ્રાઝેનેકા કંપનીએ કહ્યું છે કે જે વૉલંટિયરના શરીરમાં તકલીફ થઈ હતી તે હવે સ્વસ્થ થઈ ગયો છે અને તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, પરંતુ કંપનીએ એ જણાવ્યું નથી કે દર્દી ટ્રાંસવર્સ માયલિટિસથી પીડાઈ રહ્યો હતો કે નહીં.