પંજાબના મુખ્યમંત્રી બન્યાના થોડા સમયમાં ચરણજીત સિંહ ચન્નીએ રાજ્યના નાના ખેડૂતોનું 25 હજાર સુધીનું દેવુ માફ કરવાની જાહેરાત કરી દીધી છે.
પંજાબના મુખ્યમંત્રી ચન્નીની ખેડૂતો માટેની મોટી જાહેરાત
નાના ખેડૂતોનું 25 હજાર સુધીના દેવા માફની કરી જાહેરાત
નાના ખેડૂતોને મળશે મોટી રાહત
સીએમ ચન્નીની ખેડૂતો માટેની બીજી મોટી જાહેરાત
ચરણજીત સિંહ ચન્ની જ્યારથી રાજ્યના મુખ્યમંત્રી બન્યા છે ત્યારથી ખેડૂતલક્ષી જાહેરાતો કરી રહ્યાં છે. એક નવી જાહેરાતમાં ચન્નીએ નાના ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે. સીએમની જાહેરાત અનુસાર જે ખેડૂતોને 25 હજાર સુધીનું દેવુ હશે તેમનું દેવુ રાજ્ય સરકાર ભરપાઈ કરશે. સીએમની આ જાહેરાતથી નાના ખેડૂતોને મોટી રાહત મળશે.
1200 કરોડથી વધારે વીજળી બીલ માફ, 53 લાખ પરિવારોને ફાયદો
આ પહેલા સીએમ ચન્નીએ વીજળી બીલ પર મોટું એલાન કર્યું હતું. કેબિનેટ મીટિંગ બાદ સીએમ ચન્નીએ એલાન કર્યું કે રાજ્યમાં 1200 કરોડથી વધારે વીજળી બીલ માફ કરાઈ રહ્યાં છે. પંજાબ સરકાર પોતાના ખર્ચે વીજ બીલની માંડવાળ કરશે. પંજાબના લગભગ 53 લાખ પરિવારોને ફાયદો થશે. 2 કેડબલ્યુ વીજળીના મીટર સુધીનો ઉપયોગ કરનારના બાકી બીલ માફ કરાઈ રહ્યાં છે.
કપાયેલા વીજ કનેક્શન ફરી વાર ચાલુ કરાશે
સીએમે એવું પણ જણાવ્યું કે કપાયેલા વીજ કનેક્શન પણ ફરી વાર ચાલુ કરવામાં આવશે.
AAP એ 300 યુનિટ ફ્રી વીજળીનો વાયદો કર્યો છે
પંજાબ સહિત બાકી રાજ્યોમાં આમ આદમી પાર્ટીએ ફ્રી વીજળી આપવાનો વાયદો કર્યો છે. આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી છે કે જો પંજાબમાં તેમની સરકાર બનશે તો લોકોને 300 યુનિટ સુધી ફ્રી વીજળી આપશે.