યુક્રેન યુદ્ધમાં હવે ભારતીયનો ભોગ લેવાનું શરુ થયું છે.યુક્રેન યુદ્ધમાં હવે પંજાબના રહેવાશી યુવાનનું મોત થયું છે.
યુક્રેન યુદ્ધમાં બીજા ભારતીયનું મોત
પંજાબનો રહેવાશી હતો મૃતક યુવાન
આ પહેલા કર્ણાટકના વિદ્યાર્થીનું મોત થઈ ચુક્યુ છે
યૂક્રેન યુદ્ધ વચ્ચે બુધવારે ભારત માટે ઘણા ખરાબ સમાચાર સામે આવ્યા છે. યુક્રેન યુદ્ધમાં હવે પંજાબના વિદ્યાર્થીનું મોત થયું છે.પંજાબના રહેવાસી ચંદન જિંદાલ નામના 22 વર્ષીય વિદ્યાર્થીનું બુધવારે મોત થયું હતું.
યુદ્ધને કારણે નહીં બીમારીને કારણે થયું ચંદનનું મોત
ચંદનનું મોત યુક્રેન યુદ્ધમાં થયું નથી પરંતુ બીમારીને કારણે થયું છે.ચંદનને આજે બ્રેન સ્ટ્રોક આવ્યો હતો જે પછી તેનેસારવાર માટે યુક્રેનની વિનીત્સિયા મેડિકલ યુનિવર્સિટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બ્રેઇન સ્ટ્રોકના કારણે તેમને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન ચંદનનું બુધવારે મોત નીપજ્યું હતું. યુક્રેનમાં ભારતીયનું આ સતત બીજું મોત છે. આ પહેલા મંગળવારે કર્ણાટકના રહેવાસી નવીનનું ખારકીવમાં શૂટઆઉટ દરમિયાન મોત થયું હતું.
યુક્રેનમાં ભારતીયો પર હુમલાનો ખતરો વધ્યો
યુક્રેનમાં હવે ભારતીયો પર હુમલાનો ખતરો વધ્યો છે. અત્યાર સુધી બે લોકોના મોત થયા છે.
લડાઈ નિર્ણાયક મોડ પર, પણ ખતરો ટળ્યો નથી
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા જંગે હવે ફરી એક વાર પરમાણુ હુમલાનો ખતરો વધારી દીધો છે. જો કે, લડાઈ હવે લગભગ નિર્ણાયક મોડ પર આવીને ઊભી છે. પણ ખતરો હજૂ ટળ્યો નથી. અમેરિકા સહિત પશ્ચિમી દેશ યુક્રેનની મદદ કરી રહ્યા છે અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પહેલાથી ચેતવ્યા છે કે, જો કે, જો કોઈ બહારનો વચ્ચે પડ્યો તો પરિણામ અત્યંત ખરાબ આવશે, જેવું પહેલા ક્યારેય જોયું નહીં હોય. એક્સપર્ટ પુતિનની આ ચેતવણીને પરમાણુ હુમલા તરીકે જોઈ રહ્યા છે.