થરાદના લાખાણીમાં આવેલા આગથળા ગામમાં શાળા સંકુલના લાભાર્થે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ડાયરામાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નોટોનો વરસાદ કર્યો હતો. આ દરમિયાન ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નિવેદન આપ્યું હતું.
રાધનપુર બેઠકના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નિવેદન આપતા કહ્યું કે સરકાર ઠાકોર સમાજને 50 શાળા આપશે તો હું પોતાના પદ પરથી રાજીનામું આપી દઈશ. આ સાથે જ તેમણે સરકાર પર પ્રહાર કરતા જણાવ્યું હતુ કે લોકોના કામ થાય તે માટે નેતાઓને ચૂંટવામાં આવે છે જોકે નેતાઓ લોકો માટે કામ કરતા નથી.
ત્યારે તાજેતરમાં થરાદના લાખાણીમાં આવેલ આગથળા ગામની શાળાના સંકુલના લાભાર્થે યોજાયેલા ડાયરામાં MLA અલ્પેશ ઠાકોરે સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપ સરકારને ખુલ્લો પડકાર ફેંકતા રાધનપુરના કોંગ્રેસી ધારાસભ્યે જણાવ્યું હતું કે જો સરકાર ઠાકોર સમાજને 50 શાળા આપશે તો હું મારા પદ પરથી રાજીનામું ધરી દઇએ. ત્યારે અલ્પેશ ઠાકોરના આ નિવેદન બાદ રાજકારણ ગરમાંયું છે.
અલ્પેશ ભાજપમાં જોડાશે તેવા સમાચારો થયાં હતા વહેતા
મહત્વનું છે કે અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાવાના સમાચાર વહેતા થયા હતા. એવું પણ માનવામાં આવી રહ્યું હતું કે અલ્પેશ ઠાકોરને ભાજપમાં લાવી OBC આંદોલનને પૂર્ણ વિરામ આપવાનો દાવ હોવાનું માનવામાં આવી રહ્યું હતું. પરંતુ હાલ એવી માહિતી મળી રહી છે કે અલ્પેશ ઠાકોર દ્વારા ભાજપમાં જોડાવાની વાત નકારી છે અને અફવા હોવાનું જણાવ્યું છે.
જો કે અવારનવાર અલ્પેશ ઠાકોરની કોંગ્રેસના કાર્યક્રમોમાં ગેરહાજરી પણ જોવા મળતી હતી. ત્યારબાદથી અલ્પેશ ઠાકોર ભાજપની ટોચની નેતાગીરી સાથે સંપર્કમાં હોવાની ચર્ચા વહેતી થઇ હતી. જેને લઇને અલ્પેશ ઠાકોરે સ્પષ્ટ કહી દીધું છે કે મારી ભાજપમાં જોડાવાની વાત અફવા છે અને મને જાણી જોઇને ટાર્ગેટ કરાયો છે.