ભાજપમાં ટિકિટ વહેચણી મુદ્દે મોટા સમાચાર છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભારતીય જનતા પાર્ટી 25 ટકા ચાલું ધારાસભ્યોને ટિકિટ નહી આપે
ભાજપમાં ટિકિટ વહેચણી મુદ્દે મોટા સમાચાર
25 ટકા ધારાસભ્યોમાં નો-રિપીટ થિયરી- સૂત્ર
ભાજપ 25 ધારાસભ્યોને નહીં આપે ટિકિટ- સૂત્ર
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી જાહેરાતનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયો છે ગમે ત્યારે ચૂંટણી પંચ જાહેરાત કરી શકે છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ત્રણય પક્ષ અત્યારે પૂર જોશમાં તૈયારીઓ કરી રહ્યા છે. બેઠકોથી લઈ જાહેરસભા અને રોડ શૉ સહિતની તમામ કામગીરી કરી રહ્યાં છે. ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાય છે અને અહીં સતત ભાજપ જીતતી આવી છે ત્યારે આ વખતે ચૂંટણીમાં વિજય મેળવવા માટે શુ સ્ટેટેજી અપનાવે છે તે મહત્વનું રહેશે. ભાજપ ટિકિટ વહેચણી મુદ્દે મોટા સમાચર પણ સામે આવી રહ્યા છે કે ભાજપ આ વખતે 25 ટકા નો રિપીટ થિયરી અપનાવશે.
ભાજપ નો-રિપીટ થિયરી અપનાવશે?
ભાજપમાં ટિકિટ વહેચણી મુદ્દે મોટા સમાચાર છે. સૂત્રો દ્વારા મળતી માહિતી કે ભારતીય જનતા પાર્ટી 25 ટકા ધારાસભ્યોમાં નો-રિપીટ થિયરી અપનાવશે. જેમા ભાજપ 25 ધારાસભ્યોને ટિકિટ નહીં આપે. સૂત્ર દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરામાં ભાજપની મિટિંગમાં ટિકિટ કાપવા મુદ્દે ચર્ચા થઈ છે. આજે વડોદરામાં મધ્ય ઝોનની બેઠક મળી હતી. જે બેઠકમાં એવી ચર્ચા થઈ છે કે, ધારાસભ્યની કાર્યક્ષમતા મુદ્દે ચર્ચા થઈ હતી. જે બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,
પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ પણ હાજર રહ્યાં હતાં.
નો-રિપીટ થિયરીથી ભાજપને ફાયદો શું?
ભાજપની રણનીતિ પર સૌ કોઈની નજર હોય છે જે બાબતે આ વખતે ગુજરાત વિધાસભાની ચૂંટણીમાં ભાજપ પ્રાપ્ત માહિતી અનુસાર 25 જેટલા ચાલુ ધારાસભ્યોને ટિકિટ નહી આપે અને જેનાથી તેમને લાભ પણ થશે કે કેમ તે સમય જ બતાવશે. એવુ પણ માનવામાં આવી રહી છે ભાજપ કાર્યકરોમાં ઉત્સાહ વધારશે અને જેમાં કેટલાક નવા ચહેરાઓને પણ મેદાનમાં ઉતારશે.