કોરોનાની ત્રીજી લહેરને લઈને ICMR દ્વારા રિસર્ચ કરવામાં આવ્યું. જેમા સામે આવ્યું કે બીજી લહેરમાં જ્યા સંક્રમણ વધારે ફેલાયું હતું ત્યા ત્રીજી લહેર એટલી ઘાતક સાબિત નહી થાય
ત્રીજી લહેરને લઈને ICMRનું રિસર્ચ
દરેક જિલ્લામાં ત્રીજી લહેરનું વધારે સંક્રમણ નહી ફેલાય
બીજી લહેરમાં સંક્રમણ વધારે પ્રમાણમાં ફેલાયું હતું
દેશમાં હાલ કોરોનાની ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ ફેલાયેલો છે. ત્યારે ઈન્ડિયન કાઉંસિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા એક રિસર્ચ સામે આવ્યું છે. જેમા એવો દાવો કરવામાં આવ્યો છે કે ત્રીલી લહેર એ જિલ્લાઓમાં ઓછી અસર કરશે જે જિલ્લાઓમાં બિજી લહેર વખતે ભારે સંક્રમણ ફેલાયા હતું.
સમગ્ર દેશમાં ત્રીજી લહેર ઘાતક સાબીત નહી થાય
ICMRના એક્સપર્ટોનું કહેવું છે કે દરેક રાજ્યોએ ત્રીજી લહેરને લઈને કડક પગલા લેવા જોઈએ. ICMRના મહામારી વિજ્ઞાન પ્રમુખ સમીરન પાંડે એ કહ્યું કે પુરા દેશમાં ત્રીજી લહેરનું સંક્રમણ નહી ફેલાય કારણે બીજી લહેર વખતે મોટા ભાગના રાજ્યોમાં સંક્રમણ ભયંકર રીચતે ફેલાયું હતું, પરંતુ સરકાર દ્વારા ત્રીજી લહેરનું સંક્રમણ રોકવા અત્યારથી પહલા લેવા જોઈએ.
મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાં વધારે સંક્રમણ હતું
સમીરન પાંડાએ કહ્યું કે મહારાષ્ટ્ર સહિત ઘણા એવા રાજ્યો છે જ્યા બીજી લહેરમાં સૌથી વધારે સંક્રમણ ફેલાયું હતું. જેથી આવા રાજ્યોમાં અત્યારથી ત્રીજી લહેરને લઈને તૈયારીઓ રાખવી જરૂરી છે. જેથી સંક્રમણ ફેલાતું અટકાવી શકાય.
ભિડ એકઠી ન થવી જોઈએ
સમગ્ર મામલે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા રાજ્યોને કહેવામાં આવ્યું કે એવા જિલ્લાઓમાં પ્રતિબંધો લાદવામાં આવે જ્યા પોઝિટિવિટી રેટ 10 ટકાથી વધારે છે. સાથેજ ત્યા ભિડ એકઠી ન થાય તે મામલે પણ સલાહ આપવામાં આવી છે.
10 રાજ્યોમાં કોરોનાના કેસ વધારે
ઉલ્લેખનીય છે કે હાલ 10 રાજ્યોમાં જે રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે. તે એક ચિંતાનો વિષય છે. ખાસ કરીને મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડું, ઓડિશા, અસમ, મિઝોરમ, મેઘાલય, આંધ્રપ્રદેશ અને મણિપુર એવા રાજ્યો છે. કે જ્યા હાલમાં કોરોનાના કેસ સૌથી વધારે નોંધાઈ રહ્યા છે.