વડોદરા સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીના આપઘાતનો મામલે FSLની ટીમે યોગી આશ્રમના રૂમ નંબર 21માં સવા કલાક સુધી તપાસ કરી હતી.
ગુણાતીત સ્વામીના આપઘાતનો મામલો
FSLની ટીમે શરૂ કરી તપાસ
વિવધ મુદ્દાઓને ધ્યાને રાખી તપાસ
વડોદરા સોખડા મંદિરમાં ગુણાતીત સ્વામીના આપઘાતનો મામલો
સોખડા સ્વામિનારાયણ મંદિરમાં બુધવાર મોડીરાત્રે ગુણાતીત સ્વામીનું નિધન થયું છે. જેને લઈને હરિભક્તોમાં ભારે આઘાત લાગ્યો છે. જો કે, ગુણાતીત સ્વામીનું મૃત્યુ ક્યા કારણોસર થયું તે અંગેની અનેક તર્ક-વિતર્ક ચાલી રહી છે. જેની વચ્ચે વડોદરા FSLની ટીમે યોગી આશ્રમના રૂમ નંબરમાં સવા કલાક સુધી તપાસ હાથ ધરી હતી. જેમાં ગળે ફાંસો કેવી રીતે ખાધો? ગળે ફાંસો ખાવા માટે કઇ વસ્તુનો કરાયો ઉપયોગ? રૂમમાં લોહીના નમૂનાની હાજરી છે કે નહીં?ની તપાસ હાથ ધરી હતી.
પોલીસની એક ટીમ તપાસ માટે ગુણાતીત સ્વામીના વતન વંથલી પણ મોકલાઇ
બીજી બાજુ પોલીસે ગુણાતીત સ્વામીના આપઘાતનો મામલો પ્રભુપ્રિય અને હરીપ્રકાશ સ્વામીની પૂછપરછ કરી હતી આ સાથે પોલીસની એક ટીમ તપાસ માટે ગુણાતીત સ્વામીના વતન વંથલી પણ મોકલાઇ છે. ઉલ્લેખનીય છે કે, વડોદરાના સોખડામાં ગુણાતીત સ્વામી મૃત્યુ મામલે હજુ પણ અનેક શંકાઓ ઉપજી રહી છે. જેમાં હરિધામના સંતોએ કુદરતી મોત ગણાવી અંતિમ સંસ્કાર કરવા પેરવી કરી હતી. મહત્વનું છે કે, ગુણાતીત સ્વામીના મોત પાછળ અનેક સવાલો ઉભા થયા છે. ગળેફાંસો માટે ઉપયોગમાં લેવાયેલો સામાન કેમ હટાવી લેવાયા?, પુરાવાની નાશ કરવા મુદ્દે કયા સંતો સામે નોંધાશે ગુનો?, આત્મહત્યાના 12 કલાક સુધી ઢાંકપીછોળો કરનાર કોણ? આમ ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી કે હત્યા એક મોટો સવાલ
હરિભક્તોએ મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરીને DSPને રજૂઆત કરી હતી
સોખડા સ્વામિનારાય મંદિરમાં ગુણાતીત સ્વામીનું મોડી રાત્રે હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયાનું કહેવામાં આવી રહ્યું હતું. પરંતુ ગુણાતીત સ્વામીના મૃત્યુને લઇને હરિભક્તોએ શંકા વ્યક્ત કરી હતી. ગુણાતીત સ્વામીના નિધન બાદ કેટલાક હરિભક્તો કલેક્ટર કચેરીએ પહોંચી ગયા હતા અને સ્વામીના મૃત્યુ મામલે તપાસની માંગ કરી હતી. ભક્તોનો આક્ષેપ ગુણાતીત સ્વામી મામલે તપાસ થાય તો વધુ વિગતો બહાર આવી શકે. બીજી તરફ ગુણાતીત સ્વામીના નિધન બાદ વડતાલ સ્વામિનારાયણ મંદિરના નૌતમ સ્વામી હરિધામ સોખડા આવ્યા હતા. સમગ્ર મામલે DSPને રજૂઆત કરવામા આવી હતી.