વિશ્વમાં હાલમાં ઘણે ઠેકાણે ઓમિક્રોન અને ડેલ્ટાક્રોન વેરિયન્ટને કારણે કોરોનાના કેસ વધી રહ્યાં છે ત્યારે ભારતમાં પણ ચોથી લહેરને લઈને ભવિષ્યવાણી થવા લાગી છે.
કાનપુરની આઈઆઈટીના વૈજ્ઞાનિકોની ભવિષ્યવાણી
ભારતમાં 22 જુન સુધી આવી શકે કોરોનાની ચોથી લહેર
ઓગસ્ટ સુધીમાં પીક પર હશે
વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે,ભારત પર ઉડશે છાંટા
ભારતમાં કોરોનાની બીજી અને ત્રીજી લહેરની સચોટ ભવિષ્યવાણી કરનાર કાનપુરની આઈઆઈટીના વૈજ્ઞાનિકોએ હવે ચોથી લહેરનો ટાઈમ ગણાવ્યો છે. વૈજ્ઞાનિકોએ અનુમાન છે કે ભારતમાં 22 જૂનથી કોરોનાની ચોથી લહેર શરુ થઈ શકે છે અને ઓગસ્ટ સુધીમાં પીક પર હશે.
ચાર મહિના ચાલશે ચોથી લહેર
SUTRA મોડલ દ્વારા વૈજ્ઞાનિકોએ એવો દાવો કર્યો ચોથી લહેર ચાર મહિના સુધી રહેશે. તેમણે કહ્યું કે લોકો જેટલા બહાર નીકળશે અને જેટલી ભીડ વધશે તેટલો કોરોના વધારે ફેલાશે.
બીજી અને ત્રીજી લહેરની ભવિષ્યવાણી સચોટ નીકળી હતી
કાનપુરની આઈઆઈટીના વૈજ્ઞાનિકોની બીજી અને ત્રીજી લહેરને લઈને જે ભવિષ્યવાણી કરી હતી તે સચોટ નીકળી હતી.આ વખતે પણ વૈજ્ઞાનિકોએ ચોથી લહેરનો ટાઈમિંગ ગણાવ્યો છે એટલે હવે માનવામાં આવી રહ્યું છે કે ચોથી લહેર અંગેની આગાહી પણ સાચી નીકળશે.જો આવું થાય તો ભારત માટે હજુ તૈયારી માટે 3 મહિના જેટલો સમય છે. વૈજ્ઞાનિકોની આ પહેલાની બે આગાહી સાચી નીકળી હતી.
ભારતમાં કેમ વધ્યો ચોથી લહેરનો ખતરો
ચીન અને યુરોપના ઘણા દેશોમાં કોરોનાના નવા વેરિએન્ટ ડેલ્ટાક્રૉનના કેસ ડરાવવા લાગ્યા છે. ચીનના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ કેસો ઓમિક્રોનના સબ-વેરિઅન્ટ બીએ.2 ને કારણે થયા છે એટલે વહેલા કે મોડા ભારત પર તેના છાંટા ઉડવાના છે.