કાગવડમાં ખોડલધામના પાટોત્સવ પર પણ રદ્દ કરવામાં આવ્યો છે. હવે 21 જાન્યુઆરીએ આ કાર્યક્રમ વર્ચ્યુઅલી યોજાશે કોરોનાની ગાઈડ લાઈનને લઇને ખોડલધામ ટ્રસ્ટની બેઠક મળી
ખોડલ ધામ પ્રાક્ટ્યોછવ 21 મીએ વર્ચ્યુઅલી
સમારોહ રદ્દ, ટ્રસ્ટી મંડળની બેઠકમાં નિર્ણય
કાર્યક્રમ સંદર્ભે નરેશ પટેલે કર્યો હતો ગુજરાત પ્રવાસ
રાજ્યમાં વધતા કોરોના સંક્રમણ વચ્ચે રાજ્ય સરકારે ત્રણ મોટા કાર્યક્રમ રદ કરવા સાથે મોટા નિર્ણયો લીધા છે ત્યારે કાગવડમાં ખોડલધામના પાટોત્સવ પર પણ રદ્દ કરવામાં આવ્યો છે. હવે 21 જાન્યુઆરીએ આ કાર્યક્રમ વર્ચ્યુઅલી યોજાશે કોરોનાની ગાઈડ લાઈનને લઇને ખોડલધામ ટ્રસ્ટની બેઠક મળી હતી જેમાં ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલની અધ્યક્ષતામાં ટ્રસ્ટી મંડળની બેઠકમાં નિર્ણય લેવાઈ ગયો છે. ખોડલધામ-કાગવડમાં 21 -22 જાન્યુઆરીએ પંચમ પ્રાકટ્યોછવ આયોજિત કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણ મહિનાથી આ મહોત્સવ યોજવા માટે સમગ્ર ખોડલ ધામ અને પાટીદાર સમાજ તડામાર તૈયારીઓ કરી રહ્યો હતો. ખુદ નાર્ષા પટેલ પણ સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી, સમાજને એકત્રિત થવા નિમંત્રણ આપી આવ્યા હતા. પરંતુ, ત્રીજી લહેરની ભયાવહ આશંકાઓ અને વધતા સંક્રમણના કારણે, કાર્યક્રમ રદ કરી વર્ચ્યુઅલી યોજાવા અંગે નિર્ણય લેવાયો છે