કોરોના બાદ મ્યૂકરમાઇકોસીસના કેસ વધવા લાગ્યા છે. તેની ટ્રીટમેન્ટ પણ ખૂબ મોંઘી છે, ત્યારે સરકારે તેના ઇંજેક્શન આસાનીથી મળી રહે તે માટેની સુવિધા કરી છે.
મ્યૂકરમાઇકોસીસના ઇન્જેક્શનને લઇને મોટા સમાચાર
સોલા અને અસારવા સિવિલમાં મળશે ઇન્જેક્શન
સરકારે ઇન્જેક્શનને લઇને આપી મોટી રાહત
હવે સોલા અને અસારવા સિવિલમાં મ્યૂકરમાઇકોસીસની ટ્રીટમેન્ટના ઇન્જેક્શન મળશે. પહેલા દવા મેળવવા માટે અલગ અલગ જગ્યાએ જવુ પડતુ હતુ તેમ છતાં તેના ઇન્જેક્શન મળતા નહોતા પરંતુ હવે તમને અસારવા સિવીલ અને સોલા સિવિલમાં મળી રહેશે.
જે દર્દીને મ્યૂકરમાઇકોસીસ હોય તેના સગાએ અસારવા કે સોલા સિવિલમાં પ્રિસ્ક્રિપ્શન અને તેના રિપોર્ટ લઇને જવાનું રહેશે. હજુ વધારે જાણકારી મળી નથી પરંતુ સેફ્ટી માટે આધારકાર્ડ કે ઇલેક્શન કાર્ડ સાથે લઇને જજો. વધુ માહીતી માટે વીટીવીની વૅબસાઇટ જોતા રહેજો.
શું છે બ્લેક ફંગસ કે મ્યૂકરમાઇકોસિસ
સ્વાસ્થ્ય મંત્રી તરફથી જણાવવામાં આવ્યું છે કે આ એક ફંગલ ઇન્ફેક્શન છે જે સામાન્ય રીતે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી ગ્રસિત લોકોની પર્યાવરણીય રોગાણુઓથી લડવાની ક્ષમતાને ઓછી કરી દે છે.
ક્યા લોકોને આ રોગ થવાની સંભાવના છે
સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન તરફથી કહેવામાં આવ્યું છે કે એવા લોકો કે જે બીજી ગંભીર બિમારીઓથી ગ્રસ્ત છે અથવા તો વોરિકોનાઝોલ થેરાપી લઇ રહ્યાં છે કે વધારે સ્ટેરોઇડનો ઉપયોગ કરી રહ્યાં છે તેમને આ પ્રકારની બિમારી થવાની સંભાવનાઓ છે.
લક્ષણ
આ બિમારીના કેટલાક લક્ષણ છે. જેમ કે માથામં દુઃખાવો, દાંતનુ દર્દ વગેરે સામેલ છે. લક્ષણોનું એક લિસ્ટ બનાવવામાં આવ્યુ છે જેના દ્વારા તમે જાણી શકશો.
આંખો કે નાકની આસપાસ દુઃખાવો
તાવ
ખાંસી
શ્વાસ લેવામાં તકલીફ
લોહીની ઉલ્ટી
પોસ્ટ ટ્રાંસપ્લાન્ટ
અનિયંત્રિત ડાયબિટીઝ
સ્ટેરોઇડ દ્વારા ઇમ્યુનોસુપ્રેશન
માનસિક સ્થિતિમાં બદલાવ
લાંબા સમય સુધી આઇસીયુમાં રહેવુ
વોરિકોનાઝોલ થેરાપી
રોગના લક્ષણ
સ્વાસ્થ્ય મંત્રીએ આગળ કહ્યું કે, આ રોગથી ગ્રસ્ત લોકોના આંખ કે નાક પાસે લાલ નિશાન દેખાવા લાગે છે અને દુઃખાવો પણ થાય છે. તે સિવાય તાવ, માથાનો દુખાવો. શ્વાસ લેવામાં તકલીફ અને લોહીની ઉલ્ટી જેવી સમસ્યાઓ પણ થઇ શકે છે.
શું કરશો અને શું નહી
સ્વાસ્થ્ય મંત્રી તરફથી કહેવામાં આવેલી એક સ્લાઇડમાં કહેવામાં આવ્યું છે કે હાઇપરગ્લાઇકેમિયાને નિયંત્રણમાં રાખવામાં આવે. ડાયબિટીઝના દર્દીઓ કે જે કોવિડના સંક્રમણમાં આવ્યા છે તો ડિસ્ચાર્જ થયા બાદ ગ્લુકોઝ લેવલ પર ધ્યાન રાખે. એન્ટીબાયોટીક કે એન્ટી ફંગલ દવાઓનો ઉપયોગ ધ્યાનથી કરવો જોઇએ