જ્યારથી સિદ્ધુ કોંગ્રેસમાં જોડાયા છે ત્યારથી પાર્ટીમાં ઘણા રાજકીય ઉથલ પાથલો જોવા મળી છે.ત્યારે ગઈકાલે દિલ્હીમાં રાહુલ ગાંધીને મળ્યા બાદ સિદ્ધુએ રાજીનામું પાછું ખેંચ્યું હતું
રાહુલગાંધીને મળ્યા બાદ સિદ્ધુએ રાજીનામું પરત ખેચ્યું
રાહલુ ગાંધી સાથે બેઠક લાંબી બેઠક બાદ સિદ્ધુ નિર્ણય લીધો
સિદ્ધુના રાજીનામું પરત ખેચ્યાં બાદ રાજકીય ગિતિવિધી વધી
પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપ્યા બાદ પાર્ટીમાં આવેલું રાજકીય તોફાન શાંત થતું જણાય છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળ્યા બાદ સિદ્ધુએ કહ્યું છે કે મેં મારી તમામ ચિંતાઓ રાહુલ જી સાથે શેર કરી છે. તેઓ આ બાબતોથી અવગત થઈ ગયાં છે. પંજાબ કોંગ્રેસમાં આંતરિક વિવાદ પક્ષને વિધાનસભાની ચૂંટણીમાં મોટો ફટકો ન આપવો જોઈએ, તેથી રાહુલ ગાંધી પોતે સિદ્ધુને તેમના નિવાસસ્થાને મળ્યા હતા. જ્યારે લાંબી બેઠક બાદ આખરે સિદ્ધુ પાછો ફર્યા હતાં. તે દરમિયાન તેમણે એમ કહીને વિદાય લીધી કે બધું જ ઉકેલાઈ ગયું છે.
રાહુલ ગાંધીને મળ્યા બાદ સિદ્ધુને ખાતરી મળી
સિદ્ધુના નિવેદન પરથી એવું લાગતું હતું કે સિદ્ધુ સંમત થયા હતા, કારણ કે રાહુલ ગાંધીને મળ્યા બાદ તેમને નક્કર ખાતરી મળી હતી. એટલા માટે તેઓ દરેક વસ્તુને શોર્ટ આઉટ કરવાની વાત કરી રહ્યા છે. પરંતુ જેવું પત્રકારોએ પૂછ્યું કે શું તે અધ્યક્ષ પદ પર ચાલુ રહેશે? સિદ્ધુએ સવાલની અવગણના કરી અને કહ્યું કે હું જે કરી રહ્યો છું તે તમારી સામે છે.
કોંગ્રેસ આંતરિક ઝઘડામાંથી બહાર આવી શકતી નથી
જ્યારથી સિદ્ધુ કોંગ્રેસમાં જોડાયા છે ત્યારથી પાર્ટીમાં ઘણા રાજકીય ગતિવિધિઓ વધી જવા પામી છે. પંજાબમાં વિધાનસભાની ચૂંટણીને થોડા મહિના જ બાકી છે, પરંતુ કોંગ્રેસ આંતરિક કલહમાંથી બહાર આવી શકી નથી. આ તમામ ઉતાર -ચઢાવ વચ્ચે સોનિયા ગાંધીની અધ્યક્ષતામાં આજે સવારે 10 કલાકે કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક યોજાશે. દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ, પાંચ રાજ્યોમાં આગામી વિધાનસભાની ચૂંટણી અને કોંગ્રેસ સંગઠનની ચૂંટણી એ બેઠકનો મુખ્ય એજન્ડા છે.
કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ અધ્યક્ષની નિયૂક્તિ ન કરવા પર સવાલો ઉઠાવ્યાં
સૌથી મહત્વની કોંગ્રેસના પ્રમુખની ચૂંટણી છે, જે રાહુલ ગાંધીએ પ્રમુખપદેથી રાજીનામું આપ્યા બાદથી ખાલી પડેલું છે, કપિલ સિબ્બલ અને સંદીપ દીક્ષિત જેવા પક્ષના મોટા નેતાઓએ પણ અધ્યક્ષ ની નિયૂક્તિ ન કરવા પર સવાલો ઉભા કર્યા છે. જોકે પવન ખેરાએ કહ્યું છે કે જેઓ વિચારે છે કે પાર્ટીમાં નેતા કોણ છે, તેઓ નથી જાણતા, તો પછી તેમને જણાવો કે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી છે.
CWC ની બેઠકમાં કોંગ્રેસને મળશે નવા પ્રમુખ?
એવું માનવામાં આવે છે કે CWC ની બેઠકમાં કોંગ્રેસના નવા અધ્યક્ષની ચૂંટણીને લગતી કોઈપણ તારીખ અથવા માળખું પાર્ટી નેતૃત્વ દ્વારા અંતિમ રૂપ આપી શકાય છે. કોંગ્રેસે 22 જાન્યુઆરીએ CWC બેઠકમાં પ્રમુખ પદ અંગે નિર્ણય કર્યો હતો. એવું નક્કી કરવામાં આવ્યું હતું કે જૂન 2021 સુધીમાં પાર્ટી પાસે ચૂંટાયેલા પ્રમુખ હશે.
પરંતુ કોવિડ -19 રોગચાળાની બીજી લહેરને કારણે, 10 મેની CWC બેઠકમાં તેને મુલતવી રાખવામાં આવી હતી.