ક્રિકેટ / ગઈ કાલે રાજકોટમાં IND vs AUS ની મેચમાં અમ્પાયર્સે ટીમ ઈન્ડિયાને લઈને કરી હતી આ મોટી ભૂલ

big mistake by umpire in Ind vs Aus match yesterday

ગઈ કાલે રાજકોટમાં રમાયેલી વન ડેમાં ભારતીય ઇનિંગ્સ દરમિયાન અમ્પાયરોએ ભારત પર પાંચ રનની પેનલ્ટી લગાવી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ શરૂ થતાં પહેલાં અમ્પાયરોને ભૂલ સમજાઈ અને તેણે ભારત પર લગાવેલી પેનલ્ટી હટાવી દીધી હતી. બન્યું એવું હતું કે ભારતીય ટીમના બે ખેલાડીઓ બે વાર પીચની વચ્ચે દોડ્યા હતા. નિયમો અનુસાર મેદાન પરના અમ્પાયર એક વાર ખેલાડીને ચેતવણી આપીને છોડી દે છે, પરંતુ બીજી વાર જો એ જ ખેલાડી અથવા ટીમનો બીજો કોઈ ખેલાડી આ નિયમને તોડે તો એ ટીમ પર પાંચ રનની પેનલ્ટી ફટકારવામાં આવે છે. આવું ભારતીય ટીમ સાથે રાજકોટમાં બન્યું, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે ભારતીય બેટ્સમેનોએ ફક્ત એક જ વાર આ નિયમ તોડ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ