ગઈ કાલે રાજકોટમાં રમાયેલી વન ડેમાં ભારતીય ઇનિંગ્સ દરમિયાન અમ્પાયરોએ ભારત પર પાંચ રનની પેનલ્ટી લગાવી હતી, પરંતુ ઓસ્ટ્રેલિયાની ઇનિંગ્સ શરૂ થતાં પહેલાં અમ્પાયરોને ભૂલ સમજાઈ અને તેણે ભારત પર લગાવેલી પેનલ્ટી હટાવી દીધી હતી. બન્યું એવું હતું કે ભારતીય ટીમના બે ખેલાડીઓ બે વાર પીચની વચ્ચે દોડ્યા હતા. નિયમો અનુસાર મેદાન પરના અમ્પાયર એક વાર ખેલાડીને ચેતવણી આપીને છોડી દે છે, પરંતુ બીજી વાર જો એ જ ખેલાડી અથવા ટીમનો બીજો કોઈ ખેલાડી આ નિયમને તોડે તો એ ટીમ પર પાંચ રનની પેનલ્ટી ફટકારવામાં આવે છે. આવું ભારતીય ટીમ સાથે રાજકોટમાં બન્યું, પરંતુ બાદમાં જાણવા મળ્યું કે ભારતીય બેટ્સમેનોએ ફક્ત એક જ વાર આ નિયમ તોડ્યો હતો.
અમ્પાયર્સે કરી મોટી ભૂલ
ટીમ ઈન્ડિયાનો બીજી મૅચમાં શાનદાર વિજય
ઈન્ડિયાએ પ્રથમ વખત ખંઢેરીમાં જીત મેળવી
ભારતીય ખેલાડીઓએ બે વાર આ નિયમ તોડ્યો નહોતો.
પીચ પર દોડવાને કારણે ભારતીય ટીમ પર લગાવવામાં આવેલી પેનલ્ટીને અમ્પાયરે ઇનિંગ્સ પૂરી થયા બાદ હટાવી દીધી. ગઈ કાલે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી રન દોડવા માટે પીચની વચ્ચે આવી ગયો હતો, જ્યારે બીજી વાર રવીન્દ્ર જાડેજાનો પગ ગુડલેન્થ એિરયા પર પડ્યો હતો. અમ્પાયરે તેને ચેતવણી પણ આપી હતી, પરંતુ ઇનિંગ્સ પૂરી થયા બાદ અમ્પાયરોને લાગ્યું હતું કે ભારતીય ખેલાડીઓએ બે વાર આ નિયમ તોડ્યો નહોતો.
ટીમ ઈન્ડિયાનો બીજી મૅચમાં શાનદાર વિજય
ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયાએ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 340 રન બનાવી અને ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 341 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 49.1 ઓવરમાં 304 રન પર ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારતીય બોલર્સે આજે રાજકોટના મેદાન પર ખુબ સારું પ્રદર્શન કર્યું હતું. ત્રણ મેચોની આ વનડે સીરીઝમાં ભારતે 1-1ની બરાબરી કરી લીધી છે. સીરીઝનો અંતિમ અને મહત્વનો મુકાબલો આવતીકાલે એટલે કે 19 જાન્યુઆરીએ બેંગલુરૂમાં રમાશે.
બીજી વન-ડેમાં ઑસ્ટ્રેલિયાની હાર
ઉલ્લેખનીય છે કે ભારત ક્યારેય રાજકોટના ખંઢેરી મેદાન પર મેચ જીત્યું ન હતું. આ મેદાન પર ત્રણ વન-ડેમાં ટીમ ઇન્ડિયાની આ પ્રથમ જીત છે. આ પહેલા 2013માં ઇંગ્લેન્ડ અને 2015માં દક્ષિણ આફ્રિકાને હરાવ્યું હતું. ત્યારે આજે બીજી વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને હરાવી ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત ખંઢેરીમાં જીત મેળવી છે.