ભારત અને ચીન વચ્ચે સીમા વીવાદનો અંત લાવવા માટે 12મી વખત કમાંડર સ્તરે બેઠક યોજાશે. આ બેઠક યોજવા માટે ચીને ભારતને આમંત્રણ આપ્યું હતું.
ભારત અને ચીન વચ્ચે 12મી વખત થશે વાતચીત
સરહદી તણવનો અંત લાવવા વાતચીત થશે
ચીને વાતચીત કરવા ભારતને આમંત્રણ આપ્યું
ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી સરહદને લઈને વિવાદ સર્જાયો છે. જે વિવાદ હજુ પણ યથાવત છે. જોકે બંને દેશ દ્વારા તણાવ ઓછો કરવા વાતચીત કરવામાં આવી રહી છે. પેંગોગ તળાવ સહિત ઘણા વિસ્તારોને લઈને વિવાદ સર્જાયો છે. આજે પણ ઘણી જગ્યાઓ એવી છે કે જ્યા બંને દેશની સેનાઓ આમને સામને આવી ગઈ છે.
12મી વખત વાતચીત
આવતીકાલે ભારત અને ચીન વચ્ચે કમાંડર સ્તરે 12મી વખત વાચચીત થશે, આ વાતચીત શનિવાર સવારે સાડા દસ વાગે ચીનના મોલ્ડો વિસ્તારમાં થશે. જે સરહદથી નજીકમાં છે. આ વાતાચીતમા બંને દેશોના સૈન્ય અધિકારીઓ દ્વારા વિવાદને સમાપ્ત કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવી શકે છે.
ચીને વાતચીત માટે આમંત્રણ આપ્યું
ગત 26 જુલાઈએ સીમા વિવાદનો અંત લાવવા માટે ચીને વાતચીત કરવાની વાત કરી હતી. જોકે તે વખતે કારગીલ દિવસ હોવાથી ભારતે તેમની વાત નકારી હતી. સાથેજ બીજી તારીખ નક્કી કરવા કહ્યુ હતું. જેમા આવતી કાલે સવારે 10.30 વાગ્યે વાતચીત કરવામાં આવશે.
અત્યાર સુધીમાં 11 વખત વાતચીત થઈ
અત્યાર સુધીમાં બંને દેશો વચ્ચે 11 વખત વાતચીત થઈ ચુકી છે. જેમા ઘણી બધી જગ્યાઓ પરથી બંને દેશની સેનાઓ હટી ગઈ છે. પરંતુ હજુ પણ ડેપસાંગ પ્લેંસ, ગોગરા અને હોટ સ્પ્રિંગ્સમાં તણાવ યથાવત છે. જે મુદ્દે આવતીકાલે જે બેઠક થશે તેમા વિસ્તાર પૂર્વક ચર્ચા કરવામાં આવી શકે છે.
પીછેહટ માટે વાતચીત કરવા બંને દેશ તૈયાર
ભારત તરફથી અગાઉ એવી સ્પષ્ટતા કરવામાં આવી હતી. કે તેઓ પીછેહટ ત્યારેજ કરશે જ્યારે તેમની સેના પણ પરત જશે. આ મુદ્દે વિદેશ મંત્રાલયે પણ કહ્યું કે બંને પક્ષો એલએસી વિવાદને લઈને વિવાદિત સરહદો પરથી પાછળ હટવા માટે વાતચીત કરવા માટે તૈયાર છે.
ગલવાન ઘાટીમાં હિંસા બાદ તણાવ વધ્યો
ઉલ્લેખનીય છે કે ગત વર્ષે જૂન મહિનામાં ગલવાન ઘાટીમાં બંને દેશની સેનાઓ વચ્ચે હિંસક ઝડપ થઈ હતી. જેમા ભારતના 20 જવાનો શહિદ થયા હતા. સાથેજ ચીનના પણ ઘણા સૈનિકો માર્યા ગયા હતા. જોકે તે હિંસામાં ચીનના કેટલા સૈનિકો વાસ્તવિકમાં મર્યા હતા તે મામલે ચીન દ્વારા હજુ સુધી કોઈ ચોખવટ કરવામાં નથી આવી.