ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ભાજપ સંગઠનને મજબૂત કરવા પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવાની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે ભાજપના ધારાસભ્યોની મહત્વની બેઠક મળનાર છે
આજે સાંજે વિધાનસભામાં ભાજપનાં ધારાસભ્યોની બેઠક
સંગઠન દ્વારા સરકારી યોજનાના પ્રચાર પ્રસાર અંગે ચર્ચા
ધારાસભ્યો રાજ્ય-કેંદ્રની યોજનાના લેખા-જોખા કરશે રજૂ
ગુજરાતમાં ભાજપની છબીને પ્રજાની વચ્ચે વધુ સ્વચ્છ કરવા, આજે ગાંધીનગર ખાતે ધારાસભ્યોની મહત્વની બેઠકો યોજાશે. ગુજરાત વિઘાનસભાની ચૂંટણી 2022 પહેલા લોકોમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કામગીરીને લઈને જવા માટેનો રોડમેપ તૈયાર કરવામા આવશે તો બીજી બાજુ ગુજરાતમાં રાજકિય ક્ષેત્રે આમ આદમી પાર્ટી, ભાજપનો મજબૂત વિકલ્પ ના બને તે માટેની પણ રણનીતિ યોજવામાં આવશે. ગુજરાત ભાજપના પદાધિકારીઓ અને ધારાસભ્યોની અલગ અલગ બેઠકો યોજી એક ચોક્કસ રણનીતિ નક્કી કરાઈ એવું મનાઈ રહ્યું છે.
ભાજપ કાર્યકર્તાઓમાં નારાજગી દૂર કરવાનો પ્રસાય કરાશે
છેલ્લા એક વર્ષ કરતા પણ વધુ સમયથી કોરોનાની મહામારી ચાલી રહી છે. કોરોનાની મહામારી દરમિયાન ઘણાબધા કાર્યકર્તાઓની આરોગ્યલક્ષી રજુઆતો અને માંગણીને પૂરતો ન્યાય નથી આપી શકાયો તેના કારણે કાર્યકર્તાઓમાં જે નારાજગી પ્રવર્તી રહી છે તે દુર કરવા ઉપર પણ ભાર મૂકાશે. તો બીજી બાજુ ધારાસભ્યોને તેમની કામગીરીનો હિસાબ પણ પ્રજાની વચ્ચે આપવા માટે કહેવાશે. કાર્યકર્તાઓની નારાજગી વચ્ચે સોશિયલ મીડિયા થકી પ્રજાની વચ્ચે રહેવા અને કહેવા નક્કી કરાશે.
ચૂંટણીની તૈયારીઓને ભાગરૂપે મળશે બેઠક
આજે ફરી ભાજપના પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવાની અધ્યક્ષતામાં ભાજપના ધારાસભ્યો સાથે બેઠક મળનાર છે જેમાં સરકારી યોજનાઓનો પ્રસાર પ્રસાર કેવી રીતે કરવો, સરકાર અને સંગઠન મળીને કેવી રીતે કામ કરવું જેવા મુદ્દાઓની ચર્ચા થનાર છે. આ બેઠકમાં ધારાસભ્યો રાજ્ય અને કેન્દ્રની યોજનાના લેખા જોખા રજૂ કરશે ધારાસભ્યોને સરકારી યોજાનાઓ લોકો સુધી પહોંચાડવા માટે માર્ગ દર્શન આપશે. મહત્વનું છે કે યોજાનાઓના પ્રસાર અને પ્રચારને વેગ આપવા માટે એપ પણ બનાવવામાં આવી છે જેના થકી પ્રવાચને વેગવંતું બનાવી શકાય.
ગાંધીનગર ખાતે ધારાસભ્યોની મહત્વની બેઠક
ગાંધીનગર ખાતે મળનારી બેઠકમાં ભાજપના તમામ ધારાસભ્યોને હાજર રહેવાનું ફરમાન કર્યું છે આ બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ ઉપસ્થિત રહેવાના છે, 2022ની તૈયારીઓના ભાગ રૂપે આ બેઠક મહત્વનું માનવામાં આવે છે કોરોનાની બીજી લહેરમાં લોકોમા સરકાર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો જેને લઈ સરકારની છબી ખરડાઈ હતી. આ બેઠકમાં સરકારની અને ભાજપની છબી સુધારવા લોકો સામે કેવા મુદ્દાઓ લઈને જઈ શકાય તે વિશેની ચર્ચાઓ કરવામાં આવનાર છે.
મિશન-2022 અંતર્ગત બેઠકમાં થશે ચર્ચાઓ
આ બેઠકમાં ધારાસભ્યોને કયા ક્યા મુદ્દાઓ સાથે લોકો સમક્ષ જવું તેમજ સરકારી યોજનાઓનો પ્રસાર પ્રસાર કેવી રીતે કરવો, સરકાર અને સંગઠન મળીને સાથે કામ કરવા સંબધિત વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવનાર છે, ભાજપના ધારાસભ્યોની મળનાર બેઠકને લઈને 2022માં લોકોને ભાજપ તરફ આકર્ષવાની રૂપરેખા તૈયાર કરાશે ત્યારે આ બેઠકને લઈને રાજકીય વર્તૂળોમાં અનેક ચર્ચાઓ વહેતી થઈ છે તેમજ ગુજરાત રાજકાણમાં મોટા પાયે ફેરબદલીના એંધાણ જોવા મળી રહ્યા છે.